કોરોનાની રસી આવી ગઇ તેમ છતાં કોરોનાને કહેર તો યથાવત જ છે. આયુર્વેદિક ઉપચારો થકી આપણે કોરોનાને મ્હાત આપી રહ્યાં છીએ પરંતુ ઋષિકેશમાં ગાયત્રીમંત્રથી કોરોના મટશે તેવુ રિસર્ચ ચાલી રહ્યું છે.
ગાયત્રી મંત્ર થકી કોવિડ ઉપચાર?
જ્યાં રસી નહી ત્યાં મંત્ર?
ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા ઋષિકેશ કોરોનાના દર્દીઓ પર સામાન્ય ઇલાજ સિવાય ગાયત્રી મંત્રના જાપ અને પ્રાણાયમ કરવાના પ્રભાવ પર શોધ કરી રહ્યું છે. 14 દિવસ ચાલનારા આ ટ્રાયલમાં હોસ્પિટલ શરીરમાં થનારા બદલાવને જોશે.
14 દિવસ ચાલશે રિસર્ચ
ગ્રુપ એ દસ કોરોના દર્દીઓને સામાન્ય ઇલાજ સિવાય એક કલાક સવારે અને સાંજે ગાયત્રી મંત્ર તેમજ પ્રાણાયમ કરાવવામાં આવી રહ્યો છે. જ્યારે ગ્રુપ બીના અન્ય 10 દર્દીઓને માત્ર કોરોનાનો સામાન્ય ઇલાજ થઇ રહ્યો છે. 14 દિવસ બાદ બંને ગ્રુપના દર્દીઓને જોવામાં આવશે કે તેમનામાં શું ફેરફાર આવ્યો છે.
પરીક્ષણની શરૂઆત પહેલા આ કામ
પરીક્ષણની શરૂઆત કર્યા પહેલા સી-રિએક્ટીવ પ્રોટીન દર 20 દર્દીઓને મેઇંટરલેયુકિન 6ના સ્તર, ચેસ્ટ એક્સ જેવી અન્ય ચીજોને પણ જોશે. જે સામાન્ય રીતે બદલાવની રીતે જોવામાં આવશે. અલગ અલગ પ્રકારના લોકોમાં કેવા બદલાવ આવે છે તે 14 દિવસના અંતે જ ખબર પડશે.
ભારત પર પહેલાથી જ દુનિયાને ખુબ આશા રહી છે. જે કામ દુનિયાના કોઇ દેશથી નહી થાય તે કામ ભારતથી તો થઇ જ જશે. બસ તે જ રીતે ભારત આધ્યાત્મિક દેશ છે અને લોકો ભગવાનમાં ખુબ માને છે. ઘણા કિસ્સા એવા પણ છે કે ભગવાનની પૂજા અર્ચના કરવાથી કેટલાક રોગ ઠીક થયા છે પરંતુ તેમાં પોઝીટીવ થિંકીંગની અસર હોય છે. તે જ રીતે જો ગાયત્રી મંત્ર દ્વારા કોરોનામાં શું ફેરફાર આવે છે તે પણ જોવામાં આવશે.
વૈજ્ઞાનિકોએ આ મહામારીથી લડવા માટે કોઇ પણ ચમત્કારિક ઇલાજ કે વેક્સિન માટે દોડ લગાવવામાં આવી છે. જેણે દુનિયાને ઝકડી રાખ્યુ છે. આ કારણે પ્રાણાયમ અને ગાયત્રી મંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે.