આપણે બધા સ્માર્ટફોન અને અન્ય ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. પણ શુ તમને ખબર છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કેટલો હાનિકારક નિવડે છે.
એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે તેનાથી નીકળતી બ્લૂ લાઈટ આંખો માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે. જેના કારણે અંધાપો આવવાની શક્યતા વધી જાય છે.
આ રોશનીથી નીકળતા મહત્વના મોલેક્યુલ સેલ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. શોધકર્તાઓના અનુસાર મૅક્યુલર ડિજનરેશન આંખોની એવી બીમારી છે જેનો કોઈ ઇલાજ નથી.
50થી 60 વર્ષની ઉંમરમા લોકોની આંખો આ કારણે નબળી પડવા લાગે છે. આ બીમારીના પગલે રેટિનામાં ફોટોરિસેપ્ટર સેલ્સ ખતમ થવા લાગે છે. આ સેલ્સ પ્રકાશના સિગ્નલને બદલવામાં કામ કરતા હોય છે.
જેના કારણે તેને રેટિનલ નામના મૉલેક્યૂલની જરૂર પડતી હોય છે. અમેરિકાના ટોલેડો યુનિવર્સિટિના પ્રોફેસરે કહ્યું કે આ કોઈ રહસ્ય નથી કે બ્લૂ રોશની રેટિનાને ક્ષતિગ્રસ્ત કરવાની સાથે સાથે અમારી નજરશક્તિને પણ નુકસાન પહોંચાડે છે.
અમારા પરીક્ષણોમાં એ જાણવા મળ્યું છે કે આ કેવી રીતે થાય છે. અમને આશા છે કે મેક્યુલર ડીજનરેશનને રોકવા માટે નવા પ્રકારના આઈ ડ્રોપ વિકસિત થઈ શકે છે.