કોરોના વાયરસ સામેની જંગમાં હવે વધુ એક હથિયાર સામે આવ્યું છે
કોવિડ-19ની સારવાર માટે ફક્ત વેક્સિન જ નથી અસરકારક
કોવિડને નાથવા અન્ય પ્રકારની દવાઓની પડશે જરૂર
મોંઢેથી ખાઈ શકાય તેવી દવાઓ બનાવવામાં આવશે
કોવિડ-19ની સારવાર માટે ફક્ત વેક્સિન જ અસરકારક નથી. કોવિડને નાથવા માટે અન્ય પ્રકારની દવાઓની પણ જરૂર પડશે. જેમકે સ્પ્રે, ઈન્હેલર અને ગોળીઓ. જોકે, અબજો રૂપિયા વાર્પ સ્પીડ હેઠળ દવા કંપનીઓને આપવામાં આવ્યાં છે. જેનાથી કોરોનાને ખતમ કરવા માટે તેઓ વેક્સિન બનાવી શકે. પરંતુ વેક્સિનથી શું ફાયદો થાય છે? એટલું જ નહીં, વેક્સિન કોરોના સંક્રમણની આડઅસરથી બચાવે છે. આવો જાણીએ આ રિપોર્ટમાં...
હવે બનશે કોરોનાને નાથવા માટે દવાઓ
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ હવે સારી એન્ટીવાયરલ ડ્રગ્સ બનાવવા પર ભાર આપી રહી છે. ફક્ત કોવિડ-19 માટે નહીં, પરંતુ ભવિષ્યમાં આવનારી મહામારીઓથી બચાવવા અને સારવાર માટે પણ. તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનની સરકારે 3 બિલિયન ડોલર્સ 22,243 કરોડ રૂપિયાનું રોકાણ અમેરિકન રેસ્ક્યુ પ્લાનમાં કરવાનો નિર્ણય કર્યો છે. કારણકે કોવિડ-19 મહામારી વિરુદ્ધ એન્ટી વાયરલ ડ્રગ્સને લઇને રણનીતિ બનાવી શકાય એટલેકે કોરોનાથી બચાવતી દવાઓ.
દવાઓ મોંઢેથી ખાઈ શકશો
રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનના ચીફ મેડિકલ એડવાઈઝર ડૉ. એન્થોની ફાઉચીએ જણાવ્યું કે, મોંઢેથી ખાઈ શકશો તેવી દવાઓ ભવિષ્યમાં બનાવવામાં આવશે. આ સાથે લોકો કોરોના ગંભીર સંક્રમણ અને મોતથી બચી શકશે. આ દવાઓ તમે સરળતાથી ઘરમાં રહીને ખાઈ શકશો.
એન્ટી વાયરલ ડ્રગ થેરાપીને વિકિસત કરવા ફાળવાઈ મોટી રકમ
અમેરિકન રેસ્ક્યુ પ્લાનનો મોટો ભાગ કોવિડ-19 ડ્રગ્સના રિસર્ચ અને નિર્માણમાં ખર્ચ કરવામાં આવશે. 3 અબજ ડોલરમાંથી લગભગ 1.2 અબજ ડોલર એટલેકે 8897 કરોડ રૂપિયા એન્ટીવાયરલ ડ્રગ થેરાપીને વિકસિત કરવા માટે આપવામાં આવ્યાં છે. આ થેરાપી ફક્ત કોવિડ-19 માટે નહીં, તેમાં ભવિષ્યમાં આવતી તમામ સંભવિત મહામારીઓને અંકુશમાં રાખવા માટેની દવાઓને વિકસિત કરવાનું કામ થશે.