કેટલાક લોકોને તમે જોયા હશે જે તેમના બાળકના નામમાં ફેરફાર કરાવડાવે અથવા પોતાના નામમાં કોઇ નાનો મોટો બદલાવ કરાવે છે. કારણકે તેમને કોઇને કહ્યું હોય કે આ ફેરફાર કરવાથી તમારા ધનના ખજાનામાં વધારો થશે.
અંક જ્યોતિષ નામ વિશે શું કહે છે
નામ બદલવા પાછળ શું છે લોજીક
શુક્ર મજબૂત હોવાથી શું લાભ થાય
આ નામ બદલવા પાછળ અંક જ્યોતિષનું જ્ઞાન હોય છે, જેમકે કોઇના નામનું પ્રતિનિધિત્વ શુક્ર કરતો હોય છે તો તેના લીધે તેને ઘણો ફાયદો થાય છે. બસ તે જ રીતે લોકો તેમના નામમાં ફેરફાર કરતા જોવા મળતા હોય છે.
જો જાતકની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો તે જાતક માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. ઘણી પરિસ્થિતિમાં જાતકનો શુક્ર મજબૂત હોય તો પણ ખરાબ ફળ આપે છે. તો દરેક કુંડળીમાં શુક્રની સ્થિતિ ભાગ ભજવતી નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં 6નો અંક જીવનમાં સારી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં વિઘ્ન ઉત્પન્ન કરી શકે છે.
આ પ્રકારની પરિસ્થિતિમાં સમસ્યા દુર કરવા માટે નામની શબ્દ રચના બદલીને શુદ્ધકરણ કરી શકાય છે. અંકોમાં પરિવર્તન કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. 1984માં પણ એક વાર આ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થયુ હતુ.
જો તમે પણ આ પ્રકારની ઘટનામાં માં માનો છો તો તે ક્યારે અને કેવી રીતે અસર કરે છે તે પણ જાણી લેવું જરૂરી બને છે. અંક જ્યોતિષના જાણકાર પાસે જઇને તમારી સમસ્યા જણાવવી જેથી તે સમાધાન લાવી શકે છે.