કપૂરનો ઉપયોગ પવિત્ર માનવામાં આવે છે. હવન કરવા માટે અને આરતી દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે જેના વગર ધાર્મિક કાર્યો અધૂરા રહી જાય છે. વૈજ્ઞાનિક તથ્યો અનુસાર પૂજા અથવા હવન કરતા સમયે કપૂર સળગાવવાથી આસપાસની નકારાત્મક ઉર્જાને સમાપ્ત થઇ જાય છે.
કપૂરની મહિમા આ મંત્રમાં ગાવવામાં આવી છે. આ મંત્રથી ભગવાન શંકરની સ્તુતિ કરવામાં આવે છે. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्। सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि। આ મંત્રનો અર્થ એમ થાય છે કે કપૂર ગૌણ વર્ણનો છે અને તેણે કરૂણાનો અવતાર માનવામાં આવે છે. ભુજંગો એટલે કે સાપોના હાર ધારણ છે કે તે ભગવાન શંકર માતા ભવાની મારા હૃદયમાં હમેશા નિવાસ કરે અને તેમણે મારા પ્રણામ છે હું તેમને નમન કરું છું. મંત્રમાં આ સ્તુતિ ભગવાન શંકર માટે કરવામાં આવી છે.
કપૂરને ઘરના વાસ્તુ માટે પણ શુભ માનવામાં આવે છે. આ માટે ઘરમાં રાખવામાં આવે છે જેથી ઘરમાં વાસ્તુ સંબંધિત સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થતો રહે. કપૂરના ઉપાયો ભાગ્યવર્ધક અને ધનવર્ધક માનવામાં આવે છે. જાણકારો અનુસાર સરળ ઉપાયોથી તમે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ઘિ લાવી શકો છે. જ્યોતિષ અને વાસ્તુના અનુસાર કપૂર દરરોજ પૂજાના દરમિયાન સળગાવવું જોઇએ આમ કરવાથી વાસ્તુ સંતુલન શુભ રહે છે.
રાતના સમયમાં ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ સળગાવવો. થોડા દિવસો સુધી સતત આ ઉપાયો કરો. આમ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ઘિ આવશે. જો તમારા પર દેવું થઇ ગયું હશે તો તે પણ ઉતરી જશે. જ્યોતિષો અનુસાર આ ઉપાયને સતત 11 અથવા તો 21 દિવસ સુધી કરવાથી ધનલાભ થશે જો તમે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા છો તો તે પણ દૂર થશે.
શનિવારના દિવસે કપૂરના તેલના ટીપાં પાણીમાં નાખો. આ પાણીથી સ્નાન કરો તે દિવસ પછી સતત આ ઉપાય ચાલું રાખો. કહેવામાં આવ્યુ છે કે આ ઉપાયથી નસીબ ઉઘડી જશે અને બિમારીઓ પણ દૂર રહેશે. આ સાથે જ પ્રાકૃતિક અને અપ્રાકૃતિક દુર્ઘટનાથી બચવા માટે રાતના સમય પર કપૂર સળગાવીને હનુમાન ચાલીસાના પાઠ કરો.
આ સિવાય ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં કપૂરની 2 ગોળીઓ રાખો જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જેમ કપૂર ઓગળવા લાગે તો તરત જ બીજી 2 કપૂરનો ગોળીઓ મૂકી દો આ ઉપાય 1-2 મહિના સુધી કરો આ ઉપાયની મદદથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ જશે.
કપૂરને ઘીમાં પલાળીને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અને સુખ શાંતિ આવશે. આ સાથે જ જો લગ્ન થવામાં મુશ્કેલી આવતી હોય તો કપૂરના ટુકડા અને 36 લવિંગ લઇ તેમાં ચોખા અને હળદરનું મિશ્રણ કરીને દેવી દુર્ગાને સમર્પિત કરી દો જેનાથી ટૂંક સમયમાં લગ્ન થઇ જશે.