ધોરાજીમાં બચતના પૈસા પાછા મેળવવા પરિવારના સહારા ઇન્ડિયાની ઑફિસમાં ધામા, પૈસા નહી મળે તો આત્મવિલોપનની ચીમકી
ધોરાજીમાં સહારા ઇન્ડિયાની ઑફિસમાં ધામા
પૈસા પરત ન મળતા પરિવારે ધામા નાંખ્યા
પૈસા પાછા નહી મળે તો આત્મવિલોપનની ચીમકી
સહારા ઇન્ડિયામાં હજી પણ અનેક નાના પરિવારો ની બચત ફસાયેલ છે. નાના પરિવારો હેરાન થઇ રહ્યા છે ત્યારે ધોરાજીના સહારા ઇન્ડિયા ની ઓફિસમાં 2 દિવસ થી 5 થી 6 જેટલા પરિવારો એ ધામ નાખ્યા એની અને 2 દિવસ થયા અહીં રાત દિવસ સુઈ રહ્યા છે અને તેવો એ અહીં જમા કરેલ નાની બચત ના પૈસા પરત નહિ મળતા તેવો હેરાન પરેશાન છે.
પૈસા પરત ન મળતા ઑફિસમાં ધામા
આ પરિવારો છેલ્લા 10 વર્ષ થયા સહારા પરિવારમાં થોડા થોડા પૈસા ની બચત કરતા હતા અને જયારે મુદત પુરી થઇ ને પાકી ગયા બાદ સહારા દ્વારા આ પૈસા ફરી પાંચ 3 વર્ષ ની મુદ્દત માં જમા કરી દેવા કહ્યું હતું અને તે બાદ પણ સહારા દ્વારા હક્ક ના મરણ મૂડી જેવા પૈસા પરત નહિ મળતા આ પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. સહારા ની ઓફિસમાં આંદોલન માં ઉતરેલ આ નાના પરિવારો માટે આ પૈસા મરણ મૂડી સમાન હતા, કોઈ એ તેની દીકરીના લગ્ન માટેના હતા તો કોઈએ દવાખાના માટે જમા કરેલ હતા, વા પરિવારોને જરૂરિયાતના સમયે આ પૈસા પરત નહિ મળતા તેવો એ સહારા ની ઓફિસમાં જ છેલ્લા 2 દિવસ થી અડિંગો જમાવ્યો છે.
છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે. પૈસા પાછા મેળવવા માટે લોકો ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ આજદિન સુધી પૈસા પરત મળ્યા નથી. ત્યારે તો હવે આ લોકોએ નક્કી જ કર્યુ છે કે જ્યાં સુધી પૈસા પરત નહી મળે ત્યાં સુધી તેઓ અહીં જરહેશે. તેનાથી પણ કોઇ ઉકેલ નહી આવે તો આત્મહત્યાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે ધોરાજીની સહારા ઇન્ડિયાના ઑફિસ મેનેજરે પોતાના હાથમાં કંઇ નથી. પૈસા નથી તેમ કહીને હાથ અધ્ધર કરી દીધા.