લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિસા, આસામ અને ગોવાની કેટલીક બેઠકો પર મંગળવારે થનાર મતદાન માટે ચૂંટણી પ્રચાર રવિવાર શાંત થઇ ગયો છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર ડૉ.મુરલીક્રિષ્નન દ્વારા ચૂંટણી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે 48 કલાક સુધી પ્રચાર શકાશે નહીં. આંતરરાજ્ય સીમાઓ સીલ કરવા પણ સુચન કરવામાં આવ્યુ છે. ટીવી ચેનલ પર પણ કોઈ પ્રચાર-પ્રસાર શકાશે નહીં. તમામ નેતાઓ અને ઉમેદવારોને સુચનો જાહેર કર્યા છે.
મતદારો પ્રભાવિત થાય તેવું કઈપણ પ્રસારિત કરી સકાય નહીં. સ્ટાર પ્રચારકોને વિસ્તાર છોડી દેવા તાકીદ કરવામાં આવી છે. ફ્લાઈંગ સ્કોડ તૈનાત કરી દેવામાં આવી છે.
ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણી પડઘમ શાંત થયા છે. અહીં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થશે. પ્રચારના છેલ્લા દિવસ પીએમ મોદીએ રાજ્યના પાટણમાં જંગી સભા સંબોધી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગરમાં રોડ શો યોજ્યો હતો. સ્ટાર પ્રચારક પીએમ મોદી, અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ, સ્મૃતિ ઇરાની અને નિર્મલા સીતારમણ, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ, શત્રુઘ્ન સિન્હા સામેલ હતા.