લોકસભા ચૂંટણી 2019ના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી રેલી અને ભાષણનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર બંધ થઇ ગયા બાદ 19 મેના રોજ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. અંતિમ તબક્કામાં 59 બેઠકો પર મતદાન યોજાશે.
આજે અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક દિગ્ગજ નેતાઓ રેલીઓને સંબોધન કરશે. છ તબક્કાની ચૂંટણીમાં લોકસભાની 483 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે એક દિવસ બાકી રહ્યો છે.
જેના માટે આજરોજથી ચૂંટણી પ્રચાર થંભી જશે. જો કે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આયોગના નિર્દેશ પર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ગુરૂવાર રાતથી જ બંધ થઇ ગયો છે. 2019ની લોકસભાની ચૂંટણી આખરે પુરી થવા તરફ જઈ રહી છે. અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે.
સાતમાં તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. પશ્વિમ બંગાળમાં 20 કલાક પહેલા જ પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. 19મીએ સાતમાં તબક્કાનું મતદાન યોજાનાર છે. આ તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન યોજનાર છે. જેમાં બિહારની 8 , હિમાચલ પ્રદેશની 4, મધ્યપ્રદેશની 8, પંજાબની 13, ઉત્તરપ્રદેશની 13, પશ્વિમ બંગાળની 9, ઝારખંડની 3 અને એક ચંદીગઢ બેઠક પર મતદાન યોજાનાર છે.