કોરોના વાયરસના સંક્રમણ અને લૉકડાઉન સમયે ભક્તોના દર્શન માટે બંધ રહેલ કેમ્પ હનુમાન મંદિર હવે તમામ ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી આર્મી ઓફિસર અને મંદિર ટ્રસ્ટીઓની બેઠકમાં કેમ્પના હનુમાન મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર ખોલવા મળી લીલી જંડી
આર્મી ઓફિસર અને મંદિર ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
પોલીસ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા
ઉલ્લેખનીય છે કે, આર્મીના અધિકારીઓ, શાહીબાગ પોલીસના અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આર્મી તરફથી ટ્રસ્ટીઓને મંદિર ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
ભક્તોમાં ખુશીનો માહોલ
કોરના કાળના લૉકડાઉન બાદ ઘણા લાંબા સમય બાદ કેમ્પના ખોલવાનો નિર્ણય લેવતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે. શાહીબાગ આર્મી કેંટોનમેન્ટમાં આવેલું સાડા ત્રણસો વર્ષ પુરણા કેમ્પ હનુમાન મંદિરને ભક્તો દર્શન કરી શકે તે માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે.
23 નવેમ્બરથી મંદિર ભક્તોને દર્શન માટે ખુલ્લું મુકાશે
મંદિર ના ટ્રસ્ટી મંડળના CEO દેવેન્દ્ર જાનીએ આ બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 23 નવેમ્બરથી મંદિર ભક્તોને દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. એક સાથે 200 લોકોને મંદિરમાં દર્શન માટે જવા દેવા આવશે જે માટે ટોકન સિસ્ટમ રાખવામાં આવશે.
પ્રસાદ કે ફુલહાર શ્રીફળ લઈ જઈ શકશે નહીં
મંદિરમાં ભક્ત પોતાના ઓળખકાર્ડ સિવાય કોઈ પણ પ્રસાદ કે ફુલહાર શ્રીફળ લઈ જઈ શકશે નહિ. આર્મી કેંટોનમેન્ટ વિસ્તાર હોવાથી ભક્તોનું પણ ચેકિંગ ફરજીયાત રહેશે.
સ્થળાંતરણ કરવાની પણ વિચારણા
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર આર્મી કેમ્પ આવેલ આ હનુમાન મંદિરને શાહીબાગ રિવરફ્રન્ટ પર મંદિરના સ્થળાંતરની ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં કોરોનાકાળમાં સરકાર દ્વારા મંદિરો ખોલવાની મંજૂરી આપી હોવા છતા કેમ્પ હનુમાનમંદિર કન્ટેઇનમેન્ટ સંવેદનશીલ જગ્યાએ હોવાથી હજુ પણ ખોલવામાં આવ્યું નથી.