નવા બંધાઈ રહેલા સંસદ ભવનની પીએમ મોદીની અચાનક મુલાકાત પર કોંગ્રેસે મોટો કટાક્ષ કર્યો છે.
નવા બંધાઈ રહેલા સંસદ ભવનની અચાનક મુલાકાતે પહોંચ્યા પીએમ મોદી
કોંગ્રેસના પદાધિકારીઓ કર્યો કટાક્ષ
કેમેરાના લેન્સની બહારના મુદ્દાઓનો પણ ઉકેલ લાવવાની જરુર-કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તાએ કટાક્ષમાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદી નવા બંધાઈ રહેલા સંસદ ભવનની મુલાકાતે ગયા પરંતુ ખેડૂતોના પ્રદર્શન સ્થળે જઈને ખેડૂતો સાથે મુલાકાત, કોવિડ હોસ્પિટલોની મુલાકાતે અને નવા તૈયાર થઈ રહેલા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાતે ક્યારે જશે પીએમ મોદી.
કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વિટ કરીને એવું પણ લખ્યું કે કેમેરાના લેન્સની બહારના મુદ્દાઓનો પણ ઉકેલ લાવવાની જરુર છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી કરાયેલા ટ્વિટમાં લખાયુ હતું કે કેમેરાજીવી પ્રચારમંત્રી.
નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની અચાનક મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના નેતાઓ મોદીના આ કામના ભરપૂર વખાણ કરતા થાકતા નથી.
PM went to inspect construction of new Parliament;no issues-but when will he go Inspect & Meet:
1. Farmers Protest Sites & listen
2.Families of Covid death victims
3.O2 production units to ensure sufficient supply in case of next wave
ભાજપના મોટા નેતાઓએ પીએમ મોદીની તસવીર શેર કરીને તેમને કર્મયોગી ગણાવ્યાં. તો કોંગ્રેસના ઘણા પદાધિકારીઓએ મોદીનો ફોટો શેર કરીને કટાક્ષ કર્યો.
यही कर्मयोग है!
अमेरिका की 3 दिवसीय यात्रा में लगातार बैठकें,15 घंटे से अधिक की लंबी यात्रा के तत्काल बाद भारत पहुंचते ही यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी का सीधे में कार्य में जुट जाना और फिर सेंट्रल विस्टा का भ्रमण,सदैव कार्य को प्राथमिकता;यही हम सबको प्रेरणा देता है। pic.twitter.com/L2ZCgoQ6zF
अनथक, अविराम, राष्ट्र निर्माण में व्यस्तः प्रधानमंत्री @NarendraModi जी अपने व्यस्त दौरे के तुरंत बाद नए संसद के निर्माण को देखने गये, व कर्मियों को प्रोत्साहित किया।
उनकी ऊर्जा, उत्साह व उनसे मिला प्रोत्साहन हमें भी उनकी तरह कार्य करने को प्रेरित करता है। pic.twitter.com/AhQxQ40Yfa
11 ફેબ્રુઆરી 2021 ના રોજ લોકસભામાં એક સવાલના જવાબમાં શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ નવા સેન્ટ્રલ વિસ્ટાના તર્ક પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે સંસદ ભવન 100 વર્ષ જૂનું છે. 2026 પછી લોકસભાની બેઠકો વધશે. તેથી જ નવું સંસદ ભવન બનાવવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાનો મુખ્ય માર્ગ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી વિસ્તરેલો છે. પરંતુ, બદલાતા સમય સાથે, તેને વિશ્વસ્તરીય બનાવવું પડશે કારણ કે તેમાં જાહેર સેવાઓ, સુવિધાઓ અને પાર્કિંગનો અભાવ છે. રેન્ડમ પાર્કિંગ ભીડ તરફ દોરી જાય છે અને ખોટી છબી બનાવે છે. તેથી, ભારત સરકારે નવા સંસદ ભવન, સામાન્ય કેન્દ્રીય સચિવાલય અને સેન્ટ્રલ વિસ્ટાનું નવીનીકરણ કરવાનું નક્કી કર્યું છે.