પાલનપુરની પ્રાથમિક શાળામાં કેટલાક અસામાજીક તત્વો શાળામા આવી શિક્ષકો સાથે ગેરવ્યાજબી વર્તન કરતા હોવાની ફરિયાદ શિક્ષકો દ્વારા તાલુકા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે.
પાલનપુરની એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વોનો આતંક
અસામાજિક તત્વો વારંવાર શાળામાં આવીને શિક્ષકો સાથે કરે છે ગેર વ્યાજબી વર્તન
શિક્ષકોએ કંટાળી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરી લેખિત ફરિયાદ
પાલનપુરમાં આવેલી એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. ત્યારે અસામાજીક તત્વોના ત્રાસને કારણે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. તેમજ અસામાજિક તત્વો વારંવાર શાળામાં આવીને શિક્ષકો સાથે પણ ગેરવ્યાજબી વર્તન કરે છે. ત્યારે શિક્ષકોએ અસામાજીક તત્વોથી કંટાળી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી છે.
શિક્ષાના ધામમાં અસામાજીક તત્વોનો આતંક
બનાસકાંઠાના વડું મથક એવા પાલનપુર ખાતે આવેલ સ્કુલમાં રોજના હજારો વિદ્યાર્થીએ તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ત્યારે શિક્ષાના ધામમાં લોકો શિક્ષણ મેળવવા આવતા હોય છે. ત્યારે આ વિદ્યાના ધામને કેટલાક અસામાજીક તત્વોએ તેમનો અડીંગો બનાવી દીધો છે. ત્યારે શાળામાં આવતા વિદ્યાર્થીઓ સાથે તેમજ શિક્ષકો સાથે અસામાજીક તત્વો દ્વારા પણ ગેરવ્યાજબી વર્તન કરવામાં આવે છે. અને વિધાના ધામમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વો દ્વારા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરે છે. ત્યારે આ બાબતે સ્કૂલના શિક્ષકો દ્વારા અસામાજીક તત્વોને સમજાવવા છતાં તેઓએ પોતાની મનમાની ચાલુ રાખી છે. ત્યારે છેવટે સ્કૂલના શિક્ષકો દ્વારા આ બાબતે લેખિત ફરિયાદ કરી છે.
તાલુકા શિક્ષણાધિકારીને આચાર્યે લેખિત રજૂઆત
આ બાબતે તાલુકા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરતા શાળાના આચાર્યે કહ્યું હતું કે અમારી શાળામા પ્રાર્થના હોલની બાજુમાં કેટલાક રહીશો રહે છે. તે વારંવાર જે તે બહાને શાળામાં આવી જુદી જુદી ઉગ્ર રજૂઆતો કરે છે અને સવારે પ્રાર્થના હોલની બારીમાં આવીને પ્રાર્થના બંધ કરો તેમ કરી શિક્ષકોને શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને આ લોકો ગમે ત્યારે શાળામાં આવી શિક્ષકોને હેરાન પરેશાન પણ કરશે તેવો ડર હંમેશા રહે છે.