કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જો કોંગ્રેસ ની સરકાર હોત તો ભારતીય સેના એ 15 મિનિટની અંદર ચીની સૈનિકોને ભારતીય પ્રદેશમાંથી ફેંકી દીધા હોત.
#WATCH The coward PM says that no one has taken our land. Today, there is only one country in the world whose land has been taken by another country. And PM calls himself a 'deshbhakt'. If we were in power we would've thrown out China in less than 15 mins: Rahul Gandhi in Haryana pic.twitter.com/JarmXUMTFs
કોંગ્રેસ નેતાએ પણ ખેડૂતો અને મજૂરો ના મુદ્દે પણ સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન ખેડૂતો અને મજૂરો ની શક્તિને જાણતા નથી.
રાહુલ ગાંધી હારુયનમાં સભાને સંબોધન કરી રહ્યા હતા
રાહુલ ગાંધી હરિયાણાની એક સભાને સંબોધન કરી રહ્યા હતા, જ્યારે તેમણે ફરી એકવાર કહ્યું કે ચીન આપણા વિસ્તારમાં 1200 ચોરસ કિલોમીટર સુધી ઘૂસી ગયું છે અને જમીન પચાવી બેઠું છે. અને વડા પ્રધાન કહે છે કે કોઈ જમીન હડપાઇ નથી.
તેમણે કહ્યું, 'ચીન માં આપણા દેશની અંદર એક પગલું પણ ભરવાની શક્તિ નહોતી. આજે વિશ્વમાં એક જ દેશ છે, જેની અંદર બીજા દેશની સૈન્ય આવીને 1200 ચોરસ કિલોમીટર જેટલી જમીન કબજે કરી શકે છે"
"અમારી સરકાર હોત તો ચીન ને બહાર ફેંકી દીધું હોત" : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "આખી દુનિયામાં એક જ દેશ છે, જેની જમીન પડાવી લેવામાં આવી છે ... હિન્દુસ્તાન." આખો દેશ જાણે છે કે ચીની સેના હિન્દુસ્તાનની અંદર છે. જો અમારી સરકાર હોત, તો અમે 15 મિનિટમાં ચીનને ઉખેડી ફેંક્યું હોત.
પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, 'વડા પ્રધાન કહે છે કે દેશની ભૂમિ કોઈએ લીધી નથી ... તેઓ પોતાને દેશભક્ત કહે છે. તેઓ કેટલા દેશભક્ત છે? '
"વડાપ્રધાન હિન્દુસ્તાનને જાણતા નથી": રાહુલ ગાંધી
તેમણે એમ પણ કહ્યું, 'વડા પ્રધાન દેશની શક્તિને નથી જાણતા, ખેડૂતો ની શક્તિને નથી જાણતા, તેઓ મજૂરો ની શક્તિને નથી જાણતા, હિન્દુસ્તાનની શક્તિને સમજી શકતા નથી'.
રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. પંજાબ પછી, તેઓ હરિયાણા ગયા, જ્યારે તેમને થોડા સમય માટે રાહ જોવી પડી હતી જેના પર તેમણે કહ્યું હતું કે 5000 કલાક રાહ જોવી પડી હોવા તો પણ ભલે પણ તે હઠવાના નહોતા"