પશ્ચિમ બંગાળની તૃણમુલ સરકારને નાગરિકતા સંશોધન બિલ અને નેશનલ સિટીઝન રજીસ્ટર(NRC)ના મુદ્દે કોલકત્તા હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે મમતા સરકારને તે તમામ જાહેરાતોને તાત્કાલિક અસરથી અટકાવવાના આદેશ આપ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં NRC અને CAA લાગુ કરવામાં આવશે નહીં. આ મામલાની સુનાવણી આગામી 9 જાન્યુઆરીના રોજ થશે.
મમતા સરકારને હાઇકોર્ટે આપ્યો ઝટકો
તમામ જાહેરાતો પર લાદ્યો પ્રતિબંધ
મમતા દીદીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરૂઆતથી જ CAA તથા NRC બિલનો વિરોધ કર્યો છે. મમતા વારંવાર કહે છે કે તે પોતાના રાજ્યમાં કેન્દ્ર સરકારનો આ કાયદો લાગુ નહીં કરે. ત્યારે હવે સરકારી જાહેરાત પર પ્રતિબંધ લગાવ્યો છે.
મમતા દીદીએ પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન
મમતા બેનર્જીએ રવિવારના રોજ આ મુદ્દા પર પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NRC ના પ્રસ્તાવ મુદ્દે સાર્વજનિક રીતે ગૃહમંત્રીથી અલગ નિવેદન આપ્યું છે.
લોકો જ લેશે નિર્ણય કે શું છે સાચુ
મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે, મેં જે કાઇ કહ્યું છે તે તમામ લોકોની સામે છે અને તેમ(નરેન્દ્ર મોદી)એ જે કહ્યું છે, તે પણ સામે છે. લોકોને આ મામલે નિર્ણય લેવા દેવો જોઇએ. પ્રધાનમંત્રીએ જાહેરસભામાં ગૃહમંત્રીથી અલગ નિવેદન આપ્યા છે. એવામાં કોણ ભારતના મૂળ વિચાર તોડી રહ્યું છે ?