કૉંફડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના 26 ફેબ્રુઆરીના ભારત બંધના આહ્વાનના સંદર્ભમાં આજે સરકાર અને CAIT વચ્ચે વાતચીત થઈ હતી.
મોદી સરકાર સામે CAIT પડ્યું મેદાને
દેશભરના કારોબારીઓનું સંગઠન છે CAIT
CAIT ને GST ના વર્તમાન સ્વરૂપ સામે છે સખત વાંધો
જો કે આ મુદ્દે CAIT હવે એકલું નથી રહ્યું, આ બંધના આહ્વાનના ધ્યાને લઈને એટવાનું પણ હવે તેને સમર્થન મળ્યું છે, આ દિવસે હવે દેશભરમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે, આ બંધના સંદર્ભે આજે સરકાર અને CAIT વચ્ચે વાતચીત થઈ હતી, નોંધનીય છે કે CAIT એક લાંબા સમયથી GST નો વિરોધ કરી રહી છે, ખાસ તો તેના વર્તમાન સ્વરૂપ સામે CAIT ને સખત વાંધો છે.
ટ્રાન્સપોર્ટર્સના સંગઠન એટવા દ્વારા પણ આપ્યું છે સમર્થન
દેશના દરેક રાજ્યમાં, GSTની ઘણી જોગવાઈઓનો વિરોધનો અવાજ હવે વધુ મજબૂત થતો જઈ રહ્યો છે, અને હવે તેના સમર્થનમાં, ઉદ્યોગપતિઓ, ટેક્સ પ્રોફેશનલો, નાના ઉદ્યોગો અને વેપારથી સંબંધિત અન્ય વિભાગોએ પણ CAIT ના ભારત બંધના આહ્વાનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
CAIT ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ અને ભરતીયાએ GST કાઉન્સિલ તેના પોતાના ફાયદા માટે GST ના સ્વરૂપને વિકૃત કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે GST સંપૂર્ણપણે એક નિષ્ફળ ટેક્સ વ્યવસ્થા છે. GST એન મૂળભૂત સ્વરૂપ સાથે છેડછાડ કરવામાં આવ્યો છે. તમામ રાજ્ય સરકારોને તેમના હિતોની ચિંતા છે, જ્યારે કે ટેક્સ સિસ્ટમને આસાન બનાવવાની કોઈને પણ ચિંતા જ નથી.
GST હાલના સમયમાં નિષ્ફળ વ્યવસ્થા છે : CAIT
તેમણે કહ્યું કે દેશના વેપારીઓ વેપાર કરવાને બદલે GST ને જ સમજવા અને અનુસરવામાં વ્યસ્ત છે, જે દેશના અર્થતંત્ર માટે અયોગ્ય પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં, GSTના હાલના સ્વરૂપ પર ફરીથી વિચાર કરવો જરૂરી છે.
તેમના નિવેદન મુજબ, ચાર વર્ષમાં લગભગ 937 વખતથી વધુ વખત સુધારા કર્યા પછી હવે GST નું મૂળ માળખું બદલાઈ ગયું છે. વારંવાર કોલ કરવા છતાં GST કાઉન્સિલ દ્વારા CAIT ના મુદ્દાઓને હજુ સુધી ધ્યાને લેવામાં આવ્યા નથી, તેથી વેપારીઓએ દેશભરના લોકોને તેમની સમસ્યાઓ પહોંચાડવા ભારત વેપાર બંધની ઘોષણા કરી છે.