કાશ્મીર ઘાટીમાં નજરકેદને 12 દિવસ થઇ ગયા, પરંતુ હજુ પણ કેટલીક પાર્ટીઓના નેતા ધરપકડમાં છે. જેમાં રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને ધરપકડ કરવામાં આવી હતી. જો કે મહેબૂબા મુફતીની દિકરી ઇલ્તિજા જાવેદે એક ઓડિયો મેસેજ જારી કર્યો છે.
જેમાં તેણે જણાવ્યું છે કે મારી પણ ધરપકડ કરવામાં આવી છે અને મને ધમકી આપવામાં આવી છે કે જો તેણે બીજી વખત મીડિયા સાથે વાત કરી છે તો તેને પરિણામ ભોગવવું પડશે. ઇલ્તિજાએ કહ્યું કે તેણે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને સ્પષ્ટીકરણ માંગ્યુ છે.
મહેબુબા મુફતીની દીકરીએ ઓડિયો મેસેજમાં કહ્યું છે કે મારી પણ ધરપકડ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે મે મીડિયા સાથે વાત કરી હતી. આ બધુ કર્ફ્યું લગાવ્યા બાદ કાશ્મીરીયોને શું સહન કરવું પડ્યું છે.
મને ધમકી આપવામાં આવી છે કે જો મે બીજી વખત મીડિયા સાથે વાત કરી તો પરિણામ ભોગવવું પડશે. મારી સાથે અપરાધી જેવુ વર્તન કરવામાં આવી રહ્યું છે, મારી પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ મહબૂબા મુફતી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલાને પહેલા નજરકેદ કરવામાં આવ્યા છે અને પછી તેની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેને શ્રીનગરના એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યાં છે.
મહેબૂબા મુફ્તીની દિકરીએ આ અગાઉ વ્હોટસએપ પર પોતાનું નિવેદન આપતાં કહ્યું હતું, બે દિવસથી તેની ધરપકડ કરવામાં આવી છે. એવી હાલત કરી દેવામાં આવી છે કે કોઇને ઘરની બહાર નહીં નીકળવા દેવામાં આવતા નથી. હું ઇચ્છું છું કે મીડિયાને ખબર પડે કે અહીં શું થઇ રહ્યું છે.