ભૂખ્યા પેટે ચા-કોફી પીવાથી માનસિક રીતે પણ પરેશાની થવા લાગે છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, સવારે ઉઠીને 1-2 કલાક પછી ચા-કોફી પીવી જોઈએ.
ભૂખ્યા પેટે ચા-કોફી ના પીવી જોઈએ
સવારે ઉઠીને 1-2 કલાક પછી ચા-કોફી પીવી જોઈએ
માનસિક રીતે પરેશાની થવા લાગે છે
હંમેશા કહેવામાં આવે છે કે, ભૂખ્યા પેટે ચા-કોફી ના પીવી જોઈએ. ભૂખ્યા પેટે ચા-કોફી પીવાથી એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે. ઉપરાંત માનસિક રીતે પણ પરેશાની થવા લાગે છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, સવારે ઉઠીને 1-2 કલાક પછી ચા-કોફી પીવી જોઈએ.
ભૂખ્યા પેટે ચા-કોફીનું સેવન કરવાથી એસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે પેટની સમસ્યા થઈ શકે છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ લેવલ પહેલેથી વધેલું હોય છે અને કેફીનનું સેવન કરવાથી તણાવ વધુ વધી શકે છે. સવારે ઉઠીને 1-2 કલાક પછી ચા-કોફી પીવી જોઈએ અથવા પહેલા થોડું કંઈક ખાઈ લેવું જોઈએ ત્યાર પછી ચા-કોફી પીવી જોઈએ.
હાડકાં નબળા પડે છે
ભૂખ્યા પેટે ચા-કોફીનું સેવન કરવાથી અનેક પ્રકારના નુકસાન થાય છે. હાડકાં નબળા પડે છે અને સાંધાનો દુખાવો થાય છે. ઉંમર વધતા હાડકાં નબળા પણ પડી શકે છે.
એસિડિટી
ભૂખ્યા પેટે ચા-કોફીનું સેવન કરવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને ભૂખ મરી જાય છે. અનેક લોકો સવારે 3-4 કપ ચાનું સેવન કરે છે. જેના કારણે ગેસ તથા એસિડિટીની સમસ્યા થાય છે. આ કારણોસર સવારે ભૂખ્યા પેટે ચા-કોફીનું સેવન ના કરવું જોઈએ.
પોષણની ઊણપ
ભૂખ્યા પેટે ચા-કોફીનું સેવન કરવાથી પોષક તત્ત્વોની કમી થાય છે. જેના કારણે ભૂખ ઓછી લાગે છે અથવા વધુ સમય સુધી ભૂખ્યા રહો તો, શરીરને પોષણ મળી શકતું નથી.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)