કેફે કોફી ડે( CCD) પ્રસિદ્ધ કાફેના માલિક વી જી સિદ્ધાર્થ એકાંએક લાપતાં થયાં છે. કેફે કોફી ડે કંપની પર 7 હજાર કરોડનું દેવું હોવાથી ગુમ થયા હોવાની વાત છે. જો કે વી જી સિદ્ધાર્થે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. વી જી સિદ્ધાર્થી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશમંત્રી એમ એસ કૃષ્ણાના જમાઈ છે. સિદ્ધાર્થ મેંગલોર નજીકની નદી પાસે લાપતાં છે પોલીસ સહિતની તંત્રની ટીમ તેને શોધી રહી છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ ગુમ થયા પહેલા સિદ્ધાર્થે પોતાના સીએફઓ સાથે ફોન પર વાત કરી હતી. એક મળતી જાણકારી મુજબ કોફી કેફે ડે પર 7 હજાર કરોડની લોન છે. પોલીસને શંકા છે કે લોનના કારણે સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી હોય.
મેંગલુરૂ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે સિદ્ધાર્થ બેંગલુરૂથી એમ કહી નીકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઇ રહ્યાં છે, પરંતુ રસ્તામાં પોતાના ડ્રાઇવરને મેંગલુરૂ જવાનું કહ્યું. આમ રસ્તામાં નેત્રાવતી નદીના પૂલ પર પહોંચીને સિદ્ધાર્થ કારમાંથી ઉત્તરીને પોતાના ડ્રાઇવરને જવા કહ્યું હતું.
સિદ્ધાર્થે છેલ્લે પોતાના સીએફઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ સિદ્ધાર્થનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઇ ગયો. આમ હાલમાં એસએમ કૃષ્ણા સહિત પરિવારના લોકો પરેશાન છે. ગુમ થયેલા સિદ્ધાર્થની શોધ માટે દક્ષિણ કન્નડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધાર્થ જે જગ્યા પરથી ગુમ થઇ ગયા હતા ત્યાં એક નદી છે, પોલીસ હાલમાં ત્યાં સર્ચ ઓપરેશન કરી રહી છે.
સીસીડી એટલે કે કેફે કોફી ડેના માલિક વીજી સિદ્ધાર્થ ગૂમ થઈ ગયા છે. વીજી સિદ્ધાર્થ ગઈકાલે મેંગલુરુ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સાંજના સાડા સાત વાગ્યા બાદથી વીજી સિદ્ધાર્થ કોઈના સંપર્કમાં ન હતા. એક જાણકારી મળી છે કે સિદ્ધાર્થ રસ્તામાં કારમાંથી ઉતર્યા હતા અને ત્યાર બાદથી જ ગૂમ થઈ ગયા છે.
સિદ્ધાર્થનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે. જેના કારણે એમએસ કૃષ્ણાનો પરિવાર પરેશાન છે. સિદ્ધાર્થના ગૂમ થયાની જાણકારી મળતાની સાથે જ કન્નડ પોલીસ ચારેય દિશામાં તપાસ કરી રહી છે.
સિદ્ધાર્થના ફોનનું છેલ્લું લોકેશન નત્રાવતી નદી પાસે મળ્યું છે, એટલે ત્યાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ એમએસ કૃષ્ણાના આવાસ પર પહોંચ્યા હતા.