સીસીડી એટલે કે કેફે કોફી ડે ના માલિક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો છે. વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ મેંગલોરની નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે. વી.જી. સિદ્ધાર્થ મેંગલોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેઓ પોતાની કારમાંથી નીચે ઉતરી ગયા હતા.
તેમના કાર ચાલકે મેંગલોરના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે તેમના માલિક પુલ પરથી લાપતા થઈ ગયા છે. તેઓ કારમાંથી થોડા સમય સુધી ખુલ્લા વાતાવરણમાં ફરવા માટે ઉતર્યા હતા. સિધ્ધાર્થે પોતાના ડ્રાઈવરને પુલની બીજી બાજુ રાહ જોવા માટે કહ્યું હતું.
જોકે બાદમાં સિદ્ધાર્થ ન મળતાં ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે નેત્રાવતી નદીમાં આશરે 200 લોકોની ટીમની મદદથી શોધખોળ હાથ ધરી હતી. આમ આજે નેત્રાવતી નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. સિદ્ધાર્થ ભાજપના વરિષ્ઠ નેતા અને UPA-2 સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસ.એમ. કૃષ્ણાના જમાઈ હતા.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એમએસ કૃષ્ણાના જમાઇ અને પ્રસિધ્ધ કેફે કોફી ડે (સીસીડી)ના માલિક વીજી સિધ્ધાર્થનો 36 કલાક બાદ નેત્રાવતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સિધ્ધાર્થનો મૃતદેહ મેંગલોરના હોજી બજારની પાસે નેત્રાવતી નદીના કિનારા પાસેથી મળી આવ્યો છે.
કેફે કોફી ડે( CCD) પ્રસિદ્ધ કાફેના માલિક વીજી સિદ્ધાર્થ એકાંએક લાપતાં થઇ ગયા હતા. કેફે કોફી ડે કંપની પર 7 હજાર કરોડનું દેવું હોવાથી ગુમ થઇ ગયા હોવાની અટકળો જોવા મળી હતી. જો કે વીજી સિદ્ધાર્થે આત્મહત્યા કરી હોવાની આશંકા પોલીસને હતી.
વીજી સિદ્ધાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશમંત્રી એમએસ કૃષ્ણાના જમાઈ હતા. સિદ્ધાર્થ મેંગલોર નજીકની નેત્રાવતી નદી પાસેથી લાપતાં થયા હતા અને પોલીસ સહિતની તંત્રની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.