રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી વખત PM પદના શપથ લીધા હતા. જ્યારે મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી અમિત શાહ સહિત પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને સ્થાન મળ્યું છે. તો મંત્રીમંડળની રચના બાદ મોદી કેબિનેટની આજે પ્રથમ બેઠક મળશે.
આજે સાંજે પાંચ વાગે મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળશે. તો આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે. ઉપરાંત ખાતાની ફાળવણીને લઈને પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામા આવશે. તો આ બેઠકમાં ગત ટર્મની જાણકારી અંગે પણ નવા મંત્રીઓને માહિતી આપવામાં આવશે. તો આગામી પાંચ વર્ષમાં સરકાર કયા વિકાસના કામો કરશે તે અંગે પણ પાંચ વર્ષના રોડ મેપ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. તો નવી સરકાર સામે કયા પડકારો હશે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાશે. ઉપરાંત રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓ અંગે વિશેષ આયોજન થઈ શકે છે.
તમને જણાવીએ કે, ગઇકાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદીની સાથે 24 કેબિનેટ મંત્રીઓ અને 9 રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર પ્રભાર ) અને 24 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા. મોદી કેબિનેટમાં નંબર 2 રાજનાથ સિંહ અને નંબર 3 અમિત શાહે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.