નરેન્દ્ર મોદીએ નવી સરકારની સાથે જ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી બનાવી છે. આ કમિટી એટલે કે CCSની નવેસરથી રચના કરી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમન,એસ જયશંકરનો સમાવેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ નવી સરકારની સાથે જ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી બનાવી છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રાજનાથસિંહ આ કમિટીમાં ગૃહમંત્રી તરીકે શામેલ હતાં. અને અરૂણ જેટલી નાણાંમંત્રી તરીકે, સુષમા સ્વરાજ વિદેશ મંત્રી તરીકે સામેલ હતા.
આ વખતે મંત્રીઓ બદલાતા આ કમિટીમાં ફેરફાર કરાયા છે. પરંતુ આ વખતે સીસીએસમાં અમિત શાહ અને એસ જયશંકર રૂપમાં બે નવા ચેહરા શામેલ કરાયા છે. .આ ઉપરાંત તમામ નેતાઓની ભૂમિકા બદલાઈ ગઈ છે. નિર્મલા સીતારમન નાણામંત્રી અને રાજનાથસિંહ સંરક્ષણ મંત્રીના રૂપમાં સીસીએસની બેઠકમાં શામેલ થયા છે.
સુરક્ષા બાબતોની સમિતિ કેન્દ્ર સરકારમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં પ્રધાનમંત્રી ઉપરાંત કેબિનેટના મહત્વપૂણ ચાર વિભાગોના મંત્રીઓ શામેલ હોય છે. આ કેબિનેટમાં સૌથી શક્તિશાળી કમિટી માનવામાં આવે છે. સીસીએસમાં શામેલ મંત્રીઓને સરકારના સૌથી શક્તિશાળી મંત્રીઓ માનવામાં આવે છે.
કારણ કે તમામ મહત્વના રણનૈતિક અને કૂટનૈતિક નિર્ણય આ કમિટીમાં જ લેવામાં આવે છે. સીસીએસ બીજા દેશો સાથે સંધી, સમજુતી, હથિયારોના ખરીદ વેચાણ, દેશની આંતરીક સુરક્ષાની સ્થિતિના નિર્ણય લે છે.