મોદી સરકાર 2.0એ શપથ ગ્રહણ કર્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં ગુરૂવાર સાંજે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદીની સાથે કુલ 24 કેબિનેટ મંત્રીઓ, 9 રાજ્ય મંત્રીઓ(સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રીઓએ શપથ લીધા છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્રમોદીએ વિદેશી મહેમાનો વચ્ચે ગુરૂવારે(30 મે)ના રોજ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. મોદીના શપથ ગ્રહણ બાદ રાજનાથસિંહ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંત્રી પદના શપથ લીધા હતા.
માનવામાં આવી રહ્યું છે કે રાજનાથ સિંહ આ સરકારમાં પણ નંબર બે પર હશે. આ બન્ને સિવાય નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઇરાનીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. સમારોહમાં પીએમ સહિત કુલ 58 મંત્રીઓએ શપથ લીધા છે, જેમાં પીએમ સહિત કુલ 25 કેબિનેટ મંત્રી, જ્યારે 9 સ્વતંત્ર હવાલાના રાજ્યમંત્રી અને 24 રાજ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. મોદી સરકારની નવી ટીમ આ પ્રકારે છે.