યુપીની યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી રાકેશ સચાન કોર્ટમાં પોતાની સજાની ફાઈલ લઈને ભાગી ગયા છે.
યુપીમાંથી અનોખો મામલો સામે આવ્યો
યોગીના મંત્રીને કોર્ટમાં દોષિત સાબિત થયા
કોર્ટ સજા સંભળાવે તે પહેલા ફાઈલને મંત્રી ફરાર થઈ ગયા
ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી મોટી ઘટના સામે આવી છે. યુપીની યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી રાકેશ સચાન કોર્ટમાં પોતાની સજાની ફાઈલ લઈને ભાગી ગયા છે. કારણ કે ગેર કાયદેસર હથિયારના એક જૂના કેસમાં શનિવારે દોષિત ઠર્યા હતા. જાણકારી અનુસાર તેમને સજા સંભળાવવાની હતી, પણ તે અગાઉ તેઓ વકીલથી મદદથી સજાના આદેશની મૂળ કોપી લઈને ભાગી ગયા હતા. હવે આ મામલે પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. આ મામલામાં સચાનનું કહેવુ છે કે, તમામ પ્રકારના આરોપ નિરાધાર છે. તબિયત ખરાબ હોવાના કારણે વકીલ દ્વારા કોર્ટમાં અરજી પત્ર આપ્યુ હતું.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કેબિનેટ મંત્રી રાકેશ સચાન પર પોતાની સજાની ફાઈલ લઈને કોર્ટમાં ભાગવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અસલમાં કોર્ટ શનિવારે સચાનને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ સજા સંભળાવવાની હતી. પણ તે પહેલા તેઓ કોર્ટ સજા આપે વકીલની મદદદથી સજાના આદેશવાળી મૂળ કોપીને લઈને ફરાર થઈ ગયા હતા. કહેવાય છે કે, તેઓ કોર્ટમાંથી બેલ બોન્ડ ભર્યા વગર જ કોર્ટમાંથી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ કોર્ટે મંત્રી વિરુદ્ધ FIR નોંધવા અને કોર્ટના આદેશનુ ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધવા જણાવ્યું હતું.
ગેરકાયદેસર હથિયાર રાખવાનો મામલો
કહેવાય છે કે, આ કેસ 1991નો છે અને ત્યારે સચાન સમાજવાદી પાર્ટીમાં હતા અને પોલીસે તેમની પાસેથી ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા હતા. પોલીસે સચાન વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. આ મામલામાં શનિવારે અપર મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ 3 કાનપુરની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
સજાના આદેશની ફાઈલ લઈને ભાગી ગયા મંત્રી
જાણકારી અનુસાર જોઈએ કો, સુનાવણી પુરી થયા બાદ રાકેશ સચાનને દોષિત સાબિત કરીને સાજાની જાહેરાત કરવાની તૈયારી ચાલી રહી હતી. આ અગાઉ બચાવ પક્ષને સજા પર ચર્ચા શરૂ કરવા કહેવાયુ હતું. પણ સજા સંભળાવવાના સમય આવ્યો તો રાકેશ સચાન સજાના આદેશની ફાઈલ લઈને કોર્ટમાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ સમગ્ર કોર્ટ અને પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. તો વળી સચાનના વકીલનું કહેવુ છે કે, રાકેશ સચાન બિમારીને કારણે ત્યાંથી જતાં રહ્યા હતા.