કોરોના વાયરસથી બચવાની તૈયારીઓના સંદર્ભમાં વાતચીત કરતા કેન્દ્રિય શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ દિલ્હીમાં જણાવ્યું કે ભારતનો સમગ્ર દરિયાકાંઠો સુરક્ષિત કરી દેવાયો છે. તમામ પોર્ટ પર સરકારી હોસ્પિટલો પર આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. આ સાથે વિદેશથી આવતાં તમામ ટુરિસ્ટ ક્રુઝ પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે સાથે દેશમાંથી નિકાસ થતી અતિમહત્વની 26 દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે. જેથી તકેદારીના ભાગરૂપે સંકટના સમયે ભારતમાં દવાઓની અછત ન સર્જાય.
ભારતમાં પોતાનું ઘર કરી જાય એવું સરકાર નથી ઈચ્છતી
26 એપીઆઈ ઉપર પ્રતિબંધ મૂક્યો, મંજૂરી વગર તેની નિકાસ નહીં કરી શકાય
ભારતમાં પૂરતી દવાઓ છે
ચીન અને વિશ્વના 70 દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીથી લઈ સરકારના તમામ મંત્રીઓ અને સમગ્ર દેશનું આરોગ્ય તંત્ર અલર્ટ થઈ ગયું છે. મનસુખ માંડવિયાએ આજે કોરોના વાયરસને પહોંચી વળવાની તૈયારીઓના પગલે જણાવ્યું હતુ કે, દેશના દરેક બંદરે સરકારી હોસ્પિટલમાં શિપમાંથી ઉતરનાર દરેક મુસાફરનું ચેકઅપ કરવામાં આવે છે. થોડા દિવસો માટે વિદેશથી આવતી દરેક ક્રુઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કારણ કે, ટુરિસ્ટ દ્વારા કોરોના ભારતમાં પોતાનું ઘર કરી જાય એવું સરકાર નથી ઈચ્છતી.
26 એપીઆઈ ઉપર પ્રતિબંધ મૂક્યો, મંજૂરી વગર તેની નિકાસ નહીં કરી શકાય
ફાર્મા મિનિસ્ટ્રી દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 26 એપીઆઈ ઉપર સરકારની મંજૂરી વગર નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ચાઈનામાં વુહાનમાં પ્લાન્ટ બંધ થવાને કારણે ભારતમાં અમુક દવાઓ પહોંચી નથી રહી. એટલે જો, ભારતની દવાઓ પણ બહાર નિકાસ કરી દેવામાં આવે તો મુશ્કેલી સર્જાય જેથી હાલ પુરતો મહત્વની દવાઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાયો છે.
ભારતમાં પૂરતી દવાઓ છે
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતમાં દવાઓનો સ્ટોક પૂરતો છે. જો કોઈ મહામારી સર્જાય તો તેને પહોંચી વળવા માટે નિકાસ પર પ્રતિબંધનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.
1 માર્ચ 6 માર્ચ જન ઔષધી દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો
10 કરોડ ફેમિલિને આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર મળે છે. 700 જિલ્લામાં 6200 જન ઔષિધી સ્ટોર પર અફોર્ડેબલ દવાઓ મળશે. 1 માર્ચથી 6 માર્ચ જન ઔષધી દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ યોજનાનું સ્લોગન છે. જન જન તક જન ઓષધી.
— Mansukh Mandaviya (@mansukhmandviya) March 3, 2020
શું છે કાર્યક્રમ?
1 માર્ચ 2000 મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા. 2 માર્ચ લોકો સ્કુલ કોલેજ, પહોંચીને જન ઓષધી વિશે જાણ કરવામાં આવી. 7 મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6200 સ્ટોર સાથે વીડિયો કોન્ફરન્સથી 15થી 20 લાખ લોકો સાથે વાત કરશે.
કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને પણ આપી માહિતી, ભારતમાં અત્યાર સુધી કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે
કોરોના વાયરસને લઇ ભારતમાં ખતરો વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના વાયરસને લઇને માહિતી આપી. અને ડો.હર્ષ વર્ધને કહ્યું કે ઇરાનની સહાયતા માટે 4 વૈજ્ઞાનિક મોકલી રહ્યાં છીએ. ઇરાનમાં ભારત લેબ બનાવશે અને વિદેશથી આવતા જતા લોકોની સ્ક્રીનિંગ થશે. ઇરાનમાં ફસાયેલા ભારતીયોનો ટેસ્ટ કરી ત્યાંથી લાવીશું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે ઇટલીના 14 પર્યટકોને કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે. જેમને ITBP કેમ્પમાં રખાયા છે. ઇટલીના ગ્રુપમાં એક ભારતીય હતો, તેનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. 21 ફેબ્રુઆરીના ઇટલીથી પર્યટકો ભારત આવ્યા હતા. ડો.હર્ષ વર્ધને વધુ માહિતી આપતા કહ્યું કે કેરળમાં 3 પોઝિટિવ લોકોની તબિયત સુધરી છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જોઇએ અને હાથ મિલાવાથી બચવું જોઇએ. ઉપરાંત પાર્ટી, સામુહિક કાર્યક્રમોમાં જવાથી બચવુ જોઇએ. ભારતમાં અત્યાર સુધી કુલ 28 કેસ પોઝિટિવ આવ્યા છે.