ગાંધીનગર: ભાજપના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ વસંત વગડાની મુલાકાત લધી છે. શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત થઈ હતા. મહત્વનું છે કે 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે સંપર્ક ફોર સમર્થન અભિયાનની શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે ભાજપ દ્વારા સંપર્ક ફોર સમર્થન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પક્ષના દિગ્ગજ નેતાઓ દ્વારા અભિયાન અંતર્ગત દેશના ખૂણે-ખૂણે ફરીને આ અભિયાનને ગતિશીલ બનાવ્યું છે ત્યારે આજરોજ ભાજપના વરિષ્ઠ નેતા પરષોત્તમ રૂપાલાએ એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના સત્તાવાર નિવાસસ્થાન વસંત વગડાની આજરોજ મુલાકાત લીઇ બાપુ સાથે વાતચીત કરી હતી.
ભાજપના નેતાની અચાનક મુલાકાતને પગલે રાજકારણમાં પણ ચર્ચાઓ શરૂ થઇ હતા. આપને જણાવી દઇએ કે તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલાએ પક્ષમાંથી રાજીનામુ આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આજરોજ પરષોત્તમ રૂપાલા અને 'બાપુ' વચ્ચે મુલાકાત થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. જો કે આ મુલાકાત ભાજપના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.