અછતગ્રસ્ત વિસ્તારોમાં કામગીરીને લઈને પણ સમિક્ષા કરવામાં આવશે. ડાંગર બાજરી મકાઈ મગફળીના પાકની ખરીદી મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ગયા સપ્તાહે રદ થયેલી કેબિનેટના મુદ્દાઓ પણ બેઠકમાં ચર્ચા કરવમાં આવશે. યોજનાકીય બાબતો અને અન્ય આયોજનો મુદ્દે પણ ચર્ચા થશે.
આજે CM @vijayrupanibjp ના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક #StatueOfUnity ના લોકાર્પણ કાર્યક્રમને લઈ બેઠકમાં થશે સમીક્ષા આદિવાસીઓના વિરોધને લઈ સમાધાનકારી પગલાં બાબતે થશે ચર્ચા રદ્દ થયેલી કેબિનેટના મુદ્દાઓ પણ બેઠકમાં ચર્ચાશે
અન્ય આયોજનો મુદ્દે પણ ચર્ચા થશે pic.twitter.com/26VmY9L2ox
ઉલ્લેખનીય છે કે દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે ગત બુધવારના રોજ સંજોગોવસાત ગુજરાત સરકારની કેબિનેટ બેઠક સાંજે યોજવામાં આવી હતી. ત્યારે આજે ફરીવાર રાબેતા મુજબ જ બેઠક યોજાશે. જે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાવાની છે. આ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.