કેન્દ્રીય કેબિનેટ બેઠક પુરી થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે યસ બેંકના રિકન્સ્ટ્રક્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે.
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બતાવ્યું કે યસ બેંક માં ભારતીય સ્ટેટ બેંક 49 % ભાગીદારી ખરીદશે. એસબીઆઈ 3 વર્ષ સુધી પોતાની સ્ટેકને 26 % થી ઓછી કરી શકશે નહીં. આ સિવાય પ્રાઇવેટ લેંડર્સ તેમાં નિવેશ કરશે. પ્રાઇવેટ લેંડર્સ માટે પણ લોક ઇન પીરિયડ 3 વર્ષ સુધીનો જ રહેશે. જોકે તેના માટે સ્ટેકની લિમિટ 75 % સુધી છે.
Moratorium on Yes Bank to be lifted within 3 days of notification of the reconstruction scheme; board to be in place in 7 days: FM
કેબિનેટ બેઠક પછી વિત્ત મંત્રીએ મીડિયાને મહત્વની જાણકારી આપી હતી કે તે ઘણું જલ્દી યસ બેંક મામલાને લઈને નવું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. યસ બેંક ડિપોઝિટર્સ માટે રાહતની વાત એ હશે કે નોટિફિકેશન જાહેર થયાના 3 દિવસની અંદર મોરેટેરિયમ પીરિયડને ખતમ કરી દેવામાં આવશે. જેનો અર્થ એ છે કે નોટિફિકેશન જાહેર થયાના 3 દિવસની અંદર યસ બેંકના બધા પ્રતિબંધ હટાવી દેવામાં આવશે.
વિત્ત મંત્રીએ એ પણ જણાવ્યું છે કે સ્કીમના નોટિફિકેશનના 7 દિવસની અંદર જ નવા બોર્ડની રચના કરી દેવામાં આવશે. નવા બોર્ડની રચના પછી RBI દ્વારા નિયુક્ત કરેલ પ્રશાસક પ્રશાંત કુમારને હટાવી લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે નવા બોર્ડમાં SBIના બે નિર્દેશક પણ સભ્ય હશે.
ઘરેલુ સ્ટોક માર્કેટમાં ભારે ગિરાવટને લઈને વિત્ત મંત્રીને પૂછવા પર તેમણે કહ્યું હતું કે, RBI સાથે મળીને સરકાર પણ તેની ઉપર નજર રાખી રહી છે.