PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાં અંતરિક્ષ ક્ષેત્રમાં સુધારા, કો ઓપરેટિવ બેંકની દેખરેખ, કુશીનગર આંતરરાષ્ટ્રિય એરપોર્ટને મંજૂરી, શિશુ લોન પર 2 ટકા વ્યાજની છૂટ આપવી જેવા નિર્ણયો સામેલ હતા. PM મોદીએ મંત્રીમંડળના નિર્ણયોને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે આ નિર્ણયથી કરોડો ભારતીયોને લાભ થશે.
બુધવારે યોજાઈ હતી કેન્દ્રીય કેબિનેટની બેઠક
5 મોટા નિર્ણયોને PM મોદીએ ગણાવ્યા ઐતિહાસિક
આ 5 નિર્ણયોથી કરોડો ભારતીયોને થશે ફાયદોઃ PM
1. કો- ઓપરેટિવ બેંક હવે RBIની દેખરેખમાં
હવે દેશની તમામ સહકારી બેંકો (તે અર્બન કો-ઓપરેટિવ બેંક હોય કે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક હોય) રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ આવશે. હાલમાં દેશમાં 1482 શહેરી સહકારી બેંકો અને 58 મલ્ટી-સ્ટેટ સહકારી બેંકો છે. સરકારનું કહેવું છે કે આ બેંકોને આરબીઆઈની દેખરેખમાં આવ્યા પછી 8.6 કરોડથી વધુ થાપણદારોનો વિશ્વાસ મળશે. ખાતરી આપવામાં આવશે કે બેંકોમાં જમા તેમની 4.84 લાખ કરોડ રૂપિયા સુરક્ષિત છે.
हमारे देश में 1482अर्बन को-ऑपरेटिव बैंक और 58मल्टी स्टेट बैंक हैं। ये बैंक तुरंत प्रभाव से RBI के सीधे सुपरविजन पॉवर में आने का एक अध्यादेश पारित किया गया है। RBI की पावर अब शेड्यूल बैंक के साथ-साथ को-ऑपरेटिव पर भी लागू होगी: केंद्रीय मंत्री प्रकाश जावड़ेकर pic.twitter.com/SDccQsWRHS
મોદી સરકારે શિશુ મુદ્રા લોન ધારકોને રાહત આપી છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ લોન પર 2% વ્યાજ છૂટને મંજૂરી આપી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂ.ના રાહત પેકેજના ભાગ રૂપે આ જાહેરાત કરી. કેબિનેટના નિર્ણય અંગે જણાવતા કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, "મુદ્રાની બેબી લોન પર 2% વ્યાજ છૂટ આપવાના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. લાખો લાભાર્થીઓને હવે 2 ટકા વ્યાજની છૂટ મળશે.
केंद्रीय मंत्रिमंडल बैठक में बहुत अहम फैसले लिए गए हैं। अंतरिक्ष विज्ञान के क्षेत्र में बहुत बड़ा सुधार किया है।आज तक हमने अंतरिक्ष में अच्छा विकास किया है अब ये एक तरह से सभी के उपयोग के लिए खोले जा रहे हैं: केंद्रीय मंत्री प्रकाश जावड़ेकर pic.twitter.com/tz5JSxJtCc
અંતરિક્ષ જગતને લઈને મોટો નિર્ણય લેતા નરેન્દ્ર મોદી સરકારે વિદ્યાર્થી અને ખાનગી કંપનીઓ માટે ભારતના અવકાશ ક્ષેત્રની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. અવકાશ પ્રવૃત્તિઓમાં તમામ ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અંતરિક્ષ ક્ષેત્રે દૂરગામી સુધારાને મંજૂરી આપી.
उ.प्र. के कुशीनगर हवाई अड्डे को अंतर्राष्ट्रीय हवाई अड्डा बनाने की स्वीकृति के लिए मैं प्रधानमंत्री जी और केंद्रीय कैबिनेट का हृदय से आभार व्यक्त करता हूं।यूपी को ये दूसरा इंटरनेशनल एयरपोर्ट देने के लिए अपनी सहमति व्यक्त करने के लिए आभार: मुख्यमंत्री योगी आदित्यनाथ (फाइल फोटो) pic.twitter.com/JrTVfB8L6n
કેન્દ્રીય કેબિનેટે ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ નિર્ણયથી વિદેશમાં વસતા બૌદ્ધ ધર્મના અનુયાયીઓને કુશીનગર આવવું સરળ બનશે. તેમણે કહ્યું કે થાઇલેન્ડ, જાપાન, વિયેતનામ, શ્રીલંકા જેવા દેશોના ઘણા અનુયાયીઓ અહીં આવવા માંગે છે. કુશીનગર મહાત્મા બુદ્ધનું નિર્વાણ સ્થળ છે, તેથી હવે તેનો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિકાસ કરવામાં આવશે.
पशुपालन अवसंरचना विकास के लिए 15,000 करोड़ का कार्यक्रम पहली दफा सबके के लिए खुल रहा है, इससे दुग्ध उत्पादन को बढ़ावा मिलेगा, निवेश को बढ़ावा मिलेगा और लाखों लोगों को रोज़गार मिलेगा:केंद्रीय मंत्री प्रकाश जावड़ेकर pic.twitter.com/7U2lLXj26Q
આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ 15,000 કરોડ રૂપિયાના પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (એએચઆઈડીએફ) ની સ્થાપના માટે મંજૂરી આપી દીધી છે. પીએમએ કહ્યું કે આનાથી આપણા મહેનતુ ખેડુતોની આવક વધશે. ખાસ કરીને ડેરીઓમાં પણ રોકાણ અને પ્રાદેશિક માળખાગત સુવિધા માટે પ્રોત્સાહન મળશે.