ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારના બે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીને સરકારના પ્રવક્તા બનાવામાં આવ્યા છે. જેઓ હવે સરકારનો પક્ષ રજૂ કરશે.
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક લેવાયા મોટા નિર્ણય
બે મંત્રીઓને સરકારના પ્રવક્તા બનાવામાં આવ્યા
જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદી બન્યા ભાજપના પ્રવક્તા
આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા ગુજરાત સરકાર દ્વારા બે મંત્રીઓને પ્રવક્તા બનાવામાં આવ્યા છે. ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમા પાર્ટી દ્વારા મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે.
જીતુ વાઘાણીને ફરી મોટું સ્થાન મળ્યું
આપને જણાવી દીએ કે જે મંત્રીઓને સરકારના પ્રવક્તા બનાવામાં આવ્યા છે. તે બે મંત્રીઓના નામ રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી હોવાનું સામે આવ્યું છે. હાલ ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી. આર. પાટીલ છે પરંતુ તેની પહેલા જીતુ વાઘાણી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા અને ફરીથી તેમને ભાજપમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે.
બંને મંત્રી સરકારનો પક્ષ રજૂ કરશે
ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા હવે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદી તેમજ જીતુ વાઘાણીને સરકારના પ્રવક્તા બનાવામાં આવ્યા છે. જેથી આ બંને જણા હવે સરકારનો પક્ષ રજૂ કરશે.
અન્ય મંત્રીઓને મીડિયા સમક્ષ નિવેદન ન આપવા આદેશ
ઉલ્લેખનીય છે કે મીડિયા સમક્ષ ખાસ કરીને હવે રાજેન્દ્ર ત્રિવેદી તેમજ જીતુ વાઘાણી તરફથીજ સરકારનો પક્ષ રજૂ કરવામાં આવશે. આ મોટો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. સાથેજ અન્ય મંત્રીઓને મીડિયા સમક્ષ નિવેદન ન આપવા માટે સરકાર તરફથી તેમને ખાસ ટકોર કરી દેવામાં આવી છે.