પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળ વિસ્તારને લઈને મંગળવારે મોટા સમાચાર આવી શકે છે. સમાચાર એ છે કે આજે પીએમ મોદીના નિવાસ સ્થાન પર ભાજપના અનેક મોટા નેતાઓ અને મંત્રીમડળની બેઠક આયોજત કરી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેબિનેટમાં 7થી 9 જુલાઈની વચ્ચે મોટા ફેરફાર થઈ શકે છે. આ પહેલા પણ પીએમ આ મુદ્દાને લઈને અનેક વાર ભાજપના નેતાઓ અને મંત્રીઓ સાથે ચર્ચા થઈ ચૂકી છે. ગત 30 જૂને મંત્રી પરિષદ મોટા ફેરફાર કરી શકે છે. આ પહેલા પણ પીએમ આ મુદ્દાને લઈને અનેક વાર ભાજપના નેતાઓ અને મંત્રીઓની સાથે ચર્ચા કરી ચૂક્યા છે. ગત 30 જૂને મંત્રી પરિષદની બેઠક થઈ હતી.
બેઠકનો દોર જારી
મીડિયા રિપોર્ટ દરમિયાન આજે પીએમ મોદીના નિવાસ પર થનારી બેઠકમાં અનેક કેન્દ્રીય મંત્રી પહોંચી શકે છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, રેલ મંત્રી પીયૂષ ગોયલ, પ્રહ્લાદ જોશી અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું નામ સામેલ છે. આ પહેલા પણ પીએમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને શાહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓને મળી ચૂક્યા છે.
ફેરફારમાં દેખાશે ચૂંટણી અસર
રિપોર્ટ્સમાં સૂત્રોન હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં આગામી વિધાનસભા ચૂંટણીની અસર જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં એનડીએના સહયોગી પોતાના દળની અનુપ્રિયા પટેલને જગ્યા મળી શકે છે. ત્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી કેટલાક ભાજપના સાંસદોને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. આ દરમિયાન સારુ પ્રદર્શન નહીં કરનારા મંત્રીઓને હટાવવા સહિત અનેક વિભાગેમાં ફેરફાર થઈ શકે છે.
હાલ કેટલા પદો પર છે ખાલી જગ્યા
હાલમાં મંત્રી મંડળમાં સભ્યોની સંખ્યા 53 છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ બાકી બચેલી 28 જગ્યાઓમાંથી કેટલાક પર ભાજપ નેતાઓને તક આપી શકે છે. સાથે આ દરમિયાન 20 મોટા ફેરફારની આશા છે. એમપીની રાજનીતિમાં મોટા ફેરફાર લાવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામમાં મુખ્યમંત્રીનું પદ છોડનારા સર્વાનંદ સોનોવાલને મંત્રીમંડલમાં શામેલ કરી શકાય છે.