નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર ખેડૂતોને દિવાળીની ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર રવીના નિર્ણયોના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો કરી શકે છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રાઇવેટ પેટ્રોલ પંપને લઇને મોટો નિર્ણય આવી શકે છે. સૂત્રો પ્રમાણે મોદી સરકાર પેટ્રોલ પંપ ખોલવાને લઇને જોડાયેલા નિયમોમાં ઢીલ આપી શકે છે. જાણવા મલી રહ્યું છે આ નિર્ણય બાદ મોટા શોપિંગ મોલ અથવા મોટી રિટેલ શૉપમાં પણ પેટ્રોલ ડિઝલ મળી શકશે.
કેન્દ્ર સરકાર હવે રૂ. 2000 કરોડના રોકાણની જગ્યાએ રૂ. 200 કરોડવાળી નેટવર્થ ધરાવતી કંપનીઓને પેટ્રોલ પંપ ખોલવાની મંજૂરી આપી શકે છે. તે સાથે જ પેટ્રોલ પંપ ખોલવાના નિયમોમાં પણ ફેરફાર આવી શકે છે. તે સાથે જ જો કોઈ કંપની પેટ્રોલિયમ સેક્ટરમાં વેપાર નથી કરી રહી તો તેને પણ ફ્યૂઅલ રિટેલનું લાઈસન્સ મળી શકે છે.
પેટ્રોલિયમ મંત્રાલયે ઓક્ટોબર 2018માં ફ્યૂલ રિટેલના નિયમોમાં ફેરફાર કરવા માટે એક કમિટી બનાવી હતી. ફ્યૂલ રિટેલ માર્કેટમાં પ્રતિસ્પર્ધા વધારવા માટે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી હતી. હવે સરકાર આ કમિટીના આધાર પર જ કોઈ નિર્ણય લે તેવી શક્યતા છે.
ખેડૂતોને મળી શકે છે દિવાળી ગિફ્ટ
કેન્દ્ર સરકાર આ સિવાય ખેડૂતોને પણ દિવાળી ગિફ્ટ આપે તેવી શક્યતા છે. રવિ પાકની વાવણી પહેલાં સરકાર મુખ્ય પાકના ટેકાના ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે. આ વિશે ઘણાં સમયથી માંગણી કરવામાં આવતી હતી જે સરકાર આ કેબિનેટ બેઠકમાં પૂરી કરે તેવી શક્યતા છે. કમિશન ઓફ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈઝ (CACP) દ્વારા રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કરવાની ભલામણ પછી ઘણાં સમયથી સરકાર આ નિર્ણય લે તેની રાહ જોવામાં આવી રહી છે.
આ ઉપરાંત આ મહિને સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજના હેઠળ 6000 રૂપિયા વર્ષનો લાભ લેવા માટે ખાતાને આધારથી જોડવાની સમયસીમા 30 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી મંત્રીમંડળની આર્થિક મામલાની સમીતિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.