ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 5 રુપિયાનો વધારો કરી દીધો છે.
ખેડૂતો માટે સારા સમાચાર
કેબિનેટની બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણય
શેરડી પકવતા ખેડૂતોને મળશે મોટો લાભ
શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 5 રુપિયાનો વધારો
કેબિનેટ અને સીસીઈએની બેઠકમાં શેરડીની FRP (ફેયર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઈસ) માં લગભગ 5 રુપિયાના વધારાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો જેને મંજૂરી આપી દેવાઈ. FRP વધવાથી ખાંડની છૂટક કિંમત અને એથલોનની કિંમત વધારાનો માર્ગ મોકળ થઈ જશે.
5 રુપિયાના વધારાથી શું અસર પડશે
શેરડીની FRP માં 5 રુપિયાના વધારાથી ખાંડની છૂટક કિંમત વધી જશે તે સરવાળે ખેડૂતોના ફાયદામાં રહેશે. ગતા વર્ષે FRP માં ક્વિન્ટલ દીઠ 10 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં શેરડીની FRP ક્વિન્ટલ દીઠ 285 રુપિયા છે. પરંતુ હવેથી શેરડીની કિંમત 285 રુપિયા ક્વિન્ટલ દીઠ વધીને 290 રુપિયા ક્વિન્ટલ દીઠ થઈ જશે.
પંજાબ સરકારનો ખેડૂતોનો મોટો ભરોસો
પંજાબના સીએમ અમરિન્દર સિંહે શેરડી પકવતા ખેડૂતોને ભરોસો આપ્યો છે કે શેરડીની કિંમત ક્વિન્ટલ દીઠ 360 રુપિયા કરી નાખવામાં આવશે જે પછી ખેડૂતોએ આંદોલન પાછું ખેચ્યું છે મુખ્યમંત્રી ખેડૂત નેતાઓ સાથેની મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી.
3 વર્ષથી ભાવ વધ્યા નથી
યુપીમાં છેલ્લા ત્રણ વર્ષથી શેરડીના ભાવમાં વધારો કરાયો નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં શેરડીનુ સૌથી મોટું ઉત્પાદક રાજ્ય યુપી છે. યુપીમાં લગભગ 48 લાખ ખેડૂતો શેરડીની ખેતી કરી રહ્યાં છે.