મોદી સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમના બજેટમાં 50,000 કરોડનો વધારો જાહેર કર્યો છે તેને કારણે પ્રવાસ અને પ્રવાસન સેક્ટરને રાહત મળશે.
મોદી સરકારે પ્રવાસ અને પ્રવાસન સેક્ટરને આપી મોટી રાહત
ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમના બજેટમાં કર્યો જંગી વધારો
બજેટ 50,000 કરોડથી વધારીને રૂ.5 લાખ કરોડ કર્યું
બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં ખેડૂતોને સસ્તી કૃષિ લોન આપવા સંબંધિત નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ઇસીએલજીએસ)ના વિસ્તરણને રૂ.50,000 કરોડથી વધારીને રૂ.5 લાખ કરોડ કરવાની મંજૂરી આપી છે.
Cabinet increases Emergency Credit Line Guarantee Scheme outlay by Rs 50,000 cr to Rs 5 lakh cr: I&B Minister
પ્રવાસ, પર્યટન અને હોસ્પિટલિટી સેક્ટર માટે ફંડ વધારાયું
મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ વધારાનું ભંડોળ ખાસ કરીને પ્રવાસ, પર્યટન અને હોસ્પિટલિટી ક્ષેત્રો માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આર્થિક ગતિવિધિઓને પડેલા અભૂતપૂર્વ ફટકાની વચ્ચે સંઘર્ષ કરી રહેલા નાના ઉદ્યોગોને મદદ કરવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ ક્ષેત્રોને સમાવવા માટે આ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરીને આપી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે પેટન્ટ ઓફિસો ઉપરાંત યુઝર્સ માટે ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી ડેટાબેઝની વ્યાપક પહોંચને પણ મંજૂરી આપી હતી. મોદી કેબિનેટના આ નિર્ણય બાદ સંશોધકો, પેટન્ટ અરજદારો હવે પુસ્તકાલયમાં પ્રવેશ કરી શકે છે, સંશોધન અને વિકાસની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે. સરકારે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી વિવિધ ક્ષેત્રોમાં ભારતના મૂલ્યવાન સંશોધન વારસા પર આધારિત નવીનતા આવશે અને ભારતીય પરંપરાગત દવાઓનો વ્યાપક સ્વીકાર થશે.
Cabinet approves interest subvention of 1.5 pc on short-term farm loans of up to Rs 3 lakh: I&B Minister
3 લાખની કૃષિ લોન પર ખેડૂતોને મળશે 1.5 ટકાની વ્યાજ સબસિડી
મોદી સરકારે ખેડૂતોને એક મોટી રાહત આપી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એવું જણાવ્યું કે સરકાર ખેડૂતોને સશક્ત બનાવવા માટે સતત કામ કરી રહી છે. આ બેઠકમાં 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5 ટકા છૂટને મંજૂરી આપવામાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ, 2022-23 થી 2024-25 ની વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.