પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેમા ત્રણ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ છે. તેમાંથી સૌથી મોટો નિર્ણય સરકારી બેન્કોના મર્જરને લઇને કરવામાં આવ્યો છે. 10 સરકારી બેન્કોના મર્જરને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યો
10 સરકારી બેન્કોના મર્જરને કેબિનેટની મંજૂરી મળી ગઇ
સિવિલ એવિએશન સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમોમાં પણ ઢીલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો
કેબિનેટે સિવિલ એવિએશન સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમોમાં પણ ઢીલ આપવાનો નિર્ણય લીધો છે. જે બાદ એર ઇન્ડિયામાં 100 ટકા વિદેશી રોકાણનો રસ્તો પણ સાફ થઇ જશે. આ તમામ નિર્ણયોની સામાન્ય માનવી પર અસર પડશે.
સરકારી બેન્કોના મર્જરનો મોટો નિર્ણય
સરકારી બેન્કોના મર્જર હેઠળ 10 બેન્કોને એક કરીને 4 બેન્ક બનાવવામાં આવશે. PNBની સાથે OBC અને United Bankનું મર્જર કરવામાં આવશે. જ્યારે કેનેરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કનું મર્જર કરવામાં આવશે. યુનિયન બેન્કની સાથે આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર કરવામાં આવશે. જ્યારે ઇન્ડિયન બેન્ક અને અલાહાબાદ બેન્કનું મર્જર કરાશે.
તેની શું થશે અસર
મર્જર બાદ હવે ગ્રાહકોને નવા એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. જે ગ્રાહકોને નવા એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ મળશે. તેમા નવી ડિટેલ્સ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, વીમા કંપનીઓ, મ્યૂચૂઅલ ફન્ડ, નેશનલ પેન્શન સ્કીમ (NPS) વગેરે માં અપડેટ કરાવવાના રહેશે. SIP અથવા લોન EMIના માટે ગ્રાહકોને નવું ઇન્સ્ટ્ર્ક્શન ફોર્મ ભરવું પડી શકે છે. સાથે જ આ મર્જર બાદ જે નવી બેન્ક અસ્તિત્વમાં આવશે તેમની 10,000 થી વધારે બ્રાન્ચ ખોલવામાં આવશે.
કંપની એક્ટમાં થયા ફેરફાર
કેબિનેટે કંપની એક્ટમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. 40 કાયદાઓને ગુનાહિત દરજ્જાથી બહાર કરી નાંખવામાં આવશે.
તેની શું પડશે અસર
કેબિનેટ નિર્ણયોની જાણકારી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કંપની એક્ટમાં કુલ 72 બદલાવોને મંજૂરી આપવામાં આવી છે. તેનાથી દેશમાં વિદેશી રોકાણ વધશે. જેથી નોકરીઓની તકોમાં પણ વધારો થશે.
એવિએશનમાં FDI પર લેવાયો નિર્ણય
કેબિનેટે સિવિલ એવિએશનમાં FDI નિયમોમાં બદલાવને મંજૂરી આપી દીધી છે. જેનાથી હવે Air Indiaમાં 100 ટકા FDIનો રસ્તો ખુલી ગયો છે.