રાજકીય સૂત્રો મુજબ મહાગઠબંધનની સરક્કારમાં RJDનો દબદબો રહેવાની સંભાવના છે. ચર્ચા મુજબ RJDમાંથી 15 ધારાસભ્યો મંત્રી બની શકે છે. જેમઆ તેજસ્વી યાદવના ભાઈનો પણ સમાવેશ થઈ શકે છે
બિહારમાં નીતિશ-તેજસ્વી સરકાર બન્યા બાદ આજે કેબિનેટનું વિસ્તરણ
RJDમાંથી 15 ધારાસભ્યો અને JDUના 10 જેટલા ધારાસભ્યોને મંત્રી પદ મળી શકે
બિહારમાં નીતિશ-તેજસ્વી સરકાર બન્યા બાદ આજે કેબિનેટનું વિસ્તરણ થશે. જોકે રાજકીય સૂત્રો મુજબ મહાગઠબંધનની સરક્કારમાં RJDનો દબદબો રહેવાની સંભાવના છે. ચર્ચા મુજબ RJDમાંથી 15 ધારાસભ્યો મંત્રી બની શકે છે. જેમાં તેજસ્વી યાદવના ભાઈનો પણ સમાવેશ થઈ શકે છે. ચર્ચા મુજબ ડેપ્યુટી CM તેજસ્વીને સ્વાસ્થ્ય મંત્રાલય મળી શકે છે. આ સાથે વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDUના 10 જેટલા ધારાસભ્યોને મંત્રી પદ મળી શકે છે.
નીતિશકુમાર અને તેજસ્વી યાદવ પહેલા જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની શપથ લઈ ચૂક્યા છે. આજે સવારે 11:30 વાગે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મહાગઠબંધનની નવી સરકારમાં કુલ 7 દળ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, JDU-RJD ના સિવાય કોંગ્રેસ અને જિતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ પાર્ટીના ધારાસભ્યોનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.
કેટલા મંત્રીઓ શપથ લઈ શકે છે ?
વિગતો મુજબ બિહારમાં કુલ 30થી 31 મંત્રીઓ શપથગ્રહણ કરી શકે છે. જેમાંથી RJDના 15 ધારાસભ્યો મંત્રી પદની શપથ લઈ શકે છે. તો JDUના 10 ધારાસભ્યો મંત્રી બની શકે છે. આ સાથે કોંગ્રેસના 2 ધારાસભ્ય- હિન્દુસ્તાન આવામ પાર્ટીના 1 ધારાસભ્ય અને અપક્ષના 1 ધારાસભ્ય મંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે.
આઠમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર
નીતિશ કુમારે ગયા અઠવાડિયે આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેજસ્વી યાદવ બીજી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. નીતિશ કુમારે 24 ઓગસ્ટે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. મહાગઠબંધનમાં નાના-મોટા મળીને કુલ સાત પક્ષ સામેલ છે. આ સાથે નીતિશ કુમારે ગયા અઠવાડિયે જ રાજ્યપાલને સાત પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થન સાથે એક પત્ર સુપરત કર્યો હતો. બિહારમાં નીતિશ કુમારે બીજેપી સાથેનું ગઠબંધન તોડીને તેજસ્વી યાદવ સાથે સરકાર બનાવી. આ નિર્ણય લેતા નીતીશ કુમારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે રાજ્યમાં જેડીયુને નબળો પાડવાનો પ્રયાસ કર્યો છે.