શિંદે સરકારની રચનાના 35 દિવસ બાદ પણ હજુ સુધી કેબિનેટ વિસ્તરણ થયુ નથી
મહારાષ્ટ્રમાં શુક્રવારે કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. મહત્વનું છે કે, શિંદે સરકારની રચનાના 35 દિવસ બાદ પણ હજુ સુધી કેબિનેટ વિસ્તરણ થયુ નથી. જોકે કેબિનેટ વિસ્તરણ પહેલા SCમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. આજે SCમાં મોટો નિર્ણય આવવાની શક્યતા સેવાઇ રહી છે. આ તરફ સૂત્રો મુજબ નવી કેબીનેટમાં ભાજપ તરફથી 8 મંત્રીઓ શપથ લઇ શકે છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે થશે કેબિનેટ વિસ્તરણ
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમસાણ બાદ અગાઉ એકનાથ શિંદેએ સરકાર બનાવી હતી. જોકે શિંદે સરકારની રચનાના 35 દિવસ બાદ પણ હજુ સુધી કેબિનેટ વિસ્તરણ થયુ નથી. તો હવે આવતીકાલે એટલે કે શુક્રવારે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ થઇ શકે છે. જેમાં ભાજપ તરફથી સંભવિત 8 મંત્રીઓ શપથ લઇ શકે છે. જોકે એની પહેલા આજે સુપ્રીમ કોર્ટમાં મોટો નિર્ણય પણ આવી શકે છે.
સુપ્રીમ કોર્ટ આપી શકે છે મોટો નિર્ણય
મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે મહારાષ્ટ્રમાં શિવસેનાના નિયંત્રણના પ્રશ્નનો જવાબ મળ્યો નથી. બંને પક્ષ પોતપોતાના દાવાઓ કરી રહ્યા છે. જોકે ગુરુવારે થનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ મોટો નિર્ણય આપી શકે છે. આ તરફ શુક્રવારે રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ક્વોટામાંથી 8 મંત્રી બનાવવામાં આવી શકે છે.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે 2જી ઑગસ્ટના રોજ કહ્યું હતું કે લોકો દ્વારા ચૂંટાવા માટે તેમને ચૂંટણી પ્રતીકની જરૂર નથી. શિદેને કહ્યું, કોણે દગો કર્યો? અમે કે અન્ય કોઈ? અમે ફરી એકવાર શિવસેનાનું સ્વાભાવિક ગઠબંધન કર્યું અને આ સરકાર લોકોની સરકાર છે. તમને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, જેમની ગઠબંધન સરકાર શિંદેના બળવાને પગલે જૂનમાં પડી હતી, તેઓ હવે તેમના સમર્થકોને દેશદ્રોહી અથવા રાષ્ટ્રવિરોધી કહીને નિશાન બનાવી રહ્યા છે. એકનાથ શિંદેએ કહ્યું કે, મેં મારા મતવિસ્તારમાં ઘણું કામ કર્યું છે. એટલું બધું કે મને લોકો દ્વારા ચૂંટાવા માટે કોઈ ચિહ્નની જરૂર નથી.