દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવાનો નિર્ણય લીધો છે.
દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર
કેન્દ્ર સરકારે જાહેર કરી 60,939.23 કરોડની સબસિડી
DAPની એક થેલી દીઠ સબસિડી વધીને થઈ 2,501 રુપિયા
ખેડૂતોને 1350 રુપિયામાં DAPની એક થેલી મળતી રહેશે
ખેડૂતો પર વધારાનો કોઈ બોજો ન પડે એટલે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે 60,939.23 કરોડની ખાતર સબસિડી જાહેર કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી જાહેર કરી હતી.
A historic decision was taken in today's cabinet that there will be no burden on the farmers. In 2021,per bag subsidy on DAP was Rs 512. Today the subsidy per DAP bag will be Rs 2500.GoI will spend Rs 60,939 Cr as subsidy on P&K fertilizers for Kharif crop:Union Min Anurag Thakur pic.twitter.com/37AnrV260H
આ અંગેની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક લીધો છે. ખેડૂતો પર કોઈ બોજ ન પડે તે માટે ખાતર સબસિડી વધારવાનો નિર્ણય લેવાયો છે. 2021માં ડીએપીની એક બેગ પર 512 રુપિયા સબસિડી હતી પરંતુ આજે ડીએપીની એક બેગ પર સબિસીડી વધારીને 2500 રુપિયા કરાઈ છે. તેમણે કહ્યું કે સરકારે ખરીફ પાક માટે પીએન્ડકે ખાતરોની સબસિડી માટે 60, 939 કરોડનો ખર્ચ કરશે.
The Cabinet has approved Nutrient Based Subsidy rates for Phosphatic and Potassic fertilizers for Kharif Season: Union Minister Anurag Thakur pic.twitter.com/n0R9JfxybL
કેન્દ્ર સરકારે ખાતર સબસિડી 512 રુપિયાથી વધારીને 2500 રપિયા કરી છે. આ રીતે એક વર્ષમાં સરકારે ખાતર સબિસીડીમાં 2000 રુપિયાનો વધારો કર્યો છે. ખેડૂતોને જુના ભાવે ખાતર મળતું રહેશે અને તેમણે એક ડીએપીની એક થેલી દીઠ 1350 ચુકવવા પડશે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર સબ્સિડી નહીં વધારે તો ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવું પડશે. હાલમાં સરકાર ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવાનું રાજકીય રિસ્ક લેવા માગતી નથી.
કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો
પ્રથમ- જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર વીજ પુરવઠામાં આત્મનિર્ભર બનશે.
બીજો- PM સ્વનિધિ યોજનાની અવધિ માર્ચ 2022 થી 2024 સુધી લંબાવવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો થશે.
ત્રીજો- રાસાયણિક ખાતરો પર જંગી સબસિડીની જાહેરાત જેથી ખેડૂતોને વધતા ભાવની અસર ન થાય.
ચોથો- 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્કને 4Gમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ટેક્નોલોજીને વેગ મળશે.
પાંચમો- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકોને પોસ્ટ ઓફિસોમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેથી કરીને ગ્રામીણ વિસ્તારોની વધુને વધુ મહિલાઓ બેંકો સાથે જોડાઈ શકે અને તેમને બેંકિંગ સંબંધિત કામમાં સુવિધા મળી શકે.