બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:42 PM, 16 January 2025
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યાં છે. મોદી સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8મા પગાર પંચને મંજૂરી આપી છે, આ સમાચાર સાથે જ કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ છે, 8મા પગાર પંચની તેમની ઘણા લાંબા સમયથી માગ હતી જે હવે પૂરી થઈ છે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "Prime Minister has approved the 8th Central Pay Commission for all employees of Central Government..." pic.twitter.com/lrVUD25hFu
— ANI (@ANI) January 16, 2025
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એવા સમયે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની અપેક્ષા રાખતા હતા, જેને આશા આખરે ફળી છે.
ADVERTISEMENT
કર્મચારીઓનો પગાર અને પેન્શન વધશે
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કર્મચારીઓના પગાર અને પેન્શનધારકોના પેન્શનમાં વધારો થશે. લાભ લેનારા લોકોની સંખ્યા એક કરોડથી વધુ છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે. વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે.
કેટલો વધશે પગાર
આઠમા પગાર પંચના એલાન અને તે લાગુ પડ્યાં બાદ કર્મચારીઓના પગારમાં ઘણો મોટો વધારો આવશે, જોકે અલગ અલગ રેન્ક પ્રમાણે અલગ અલગ વધારો થશે.
2026 સુધી રિપોર્ટ સોંપશે
8મું પગાર પંચ 2026 સુધી પોતાનો રિપોર્ટ સોંપી દેશે. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં પૂરો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.