કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) વધુ મજબૂત કરવા બે કાયદાના સંશોધન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેના કારણે દેશ સાથે વિદેશમાં પણ આતંકી મામલે તપાસનો અધિકાર મળશે.
સૂત્રોને મળતી માહિતી મૂજબ સોમવારે જણાવાયું છે કે NIA કાયદો અને ગેરકાનૂની ગતિવિધિ (રોકથામ) કાયદામાં સંશોધન માટે આગામી દિવસોમાં સંસદમાં અલગ-અલગ બિલ લાવવામાં આવશે. આ સંશોધન બાદ NIAને સાઇબર ક્રાઇમ અને હ્યુમન તસ્કરી મામલે તપાસ કરવાનો પણ અધિકાર મળી જશે.
આમ કેન્દ્રીય કેબિનેટે સોમવારે દેશ અને વિદેશમાં આતંકી હુમલાની તપાસ માટે NIAને વધુ મજબૂત બનાવવા માટે બે કાયદામાં સંશોધિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી બિલ આવ્યા બાદ અનેક મામલે કદ વધી જશે, જેની તપાસ એજન્સી કરી શકશે.
આ સંશોદન બાદ એજન્સી ભારત તેમજ બહાર પણ ભારતીય નાગરિક અથવા તેમના હિતને નુકસાન પહોંચવાની સ્થિતિમાં કેસ દાખલ કરી તપાસ કરી શકશે. NIA એક્ટમાં કેટલાક નવા અપરાધને પણ જોડવામાં આવશે. NIA સંશોધન વિધેયકમાં તૈયાર કરેલા મુદ્દાઓ મુજબ એજન્સીએ કોઇપણ રાજ્યમાં તપાસ કરવા માટે કોઇપણ રાજ્યના પોલીસ અધિકારીની મંજૂરી લેવી પડશે નહીં.
જો કે હાલમાં પણ NIAએને કોઇપણ તપાસ પહેલા કોઇપણની મંજૂરી લેવી પડતી નથી. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે આધાર તેમજ અન્ય કાનૂન (સંશોધન) બિલ, 2019ને રજૂ કર્યું. આ સાથે કેબિનેટે DNA પ્રોફાઇલિંગ બિલને મંજૂરી આપી દીધી છે.