ગુરુવારે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલીઝંડી અપાઈ છે. આ યોજના હેઠળ સોલર અને પવન ઊર્જા જેવા કુદરતી સંસાધનોમાંથી મળતી વીજળીને ગ્રીડ દ્વારા દેશના પરંપરાગત વીજળી સ્ટેશનોની મદદથી લોકોના ઘર સુધી પહોંચતી કરવામાં આવશે જેનો લાભ ગુજરાત સહિત આઠ રાજ્યોને મળશે.
ગુજરાત સહિતના રાજ્યોમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ થશે
કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું કે ફેઝ-2માં ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, યુપી, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ થશે. ફેઝ-1નું લગભગ 80 ટકા કામકાજ પૂરુ થઈ ચૂક્યુ છે.
Union Cabinet has approved Intra-State Transmission System-Green Energy Corridor Phase-II. This scheme will add approximately 10,750 circuit kilometres of transmission lines and approx. 27,500 Mega Volt-Amperes transformation capacity of substations: Union Minister Anurag Thakur pic.twitter.com/FmNuoEhD6V
ગ્રીન એનર્જી કોરિડોર યોજનાથી ગુજરાતને શું લાભ મળશે
ગ્રીન એનર્જી કોરિડોર યોજના સોલર અને પવન ઊર્જા જેવા કુદરતી સંસાધનોમાંથી વીજળી પેદા કરવામાં આવશે અને તેને લોકોના ઘર સુધી પહોંચતી કરવામાં આવશે. કુદરતી સંસાધનોમાંથી વીજળી મળ્યા બાદ કોલસાનો ઉપયોગ ઘટી જશે અને લોકોને સસ્તા દરે વીજળી પણ મળી રહેશે.
શું છે ગ્રીન એનર્જી પરિયોજનાનો ઉદ્દેશ
ગ્રીન એનર્જી પરિયોજનાનો ઉદ્દેશ સોલર અને પવન ઊર્જા જેવા કુદરતી સંસાધનોમાંથી મળતી વીજળીને ગ્રીડ દ્વારા દેશના પરંપરાગત વીજળી સ્ટેશનોની મદદથી લોકોના ઘર સુધી પહોંચતી કરવાનો છે. મંત્રાલયે 2015-16માં ગ્રીન એનર્જીમાંથી ઉત્પાદિત પાવરનો ઉપયોગ કરવા માટે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેમાં 8 રાજ્યો તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. સરકાર હવે તેનો કાર્યક્ષેત્ર વિસ્તારીને કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીનો હિસ્સો ઘટાડવા માંગે છે, જેથી પર્યાવરણને મહત્તમ લાભ મળે.