પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વર્ષ 2021-22 માટે પેકેજિંગમાં જૂટ (શણ)ના અનિવાર્ય ઉપયોગ માટે અનામત નિયમોની મંજૂરી આપી છે.
શણની બેગ ફરજિયાત બનાવાઈ
મોદી સરકારે લીધો મોટો નિર્ણય
શણમાંથી બનેલી બેગનો ઉપયોગ કરવો પડશે
કંપનીઓએ શણની બેગમાં ફૂડ પ્રોડક્ટ્સ પેક કરવી પડશે
કેન્દ્રના નવા નિર્ણયો હેઠળ હવેથી કંપનીઓએ તેમની 100 ટકા ફૂડ પ્રોડક્ટ્સ શણની થેલીઓ તથા 20 ટકા ખાંડની થેલીઓમાં પેકિંગ કરવાની રહેશે. કેન્દ્ર સરકારે આ નિયમ તમામ કંપનીઓ માટે ફરજિયાત બનાવ્યો છે. જેને કારણે શણ ઉગાડતા ખેડૂતોને સીધો ફાયદો થશે. કેન્દ્ર સરકારે ફૂડ પ્રોડક્ટ્સ માટે શણની થેલીઓ ફરજિયાત બનાવાઈ છે.
આ રાજ્યોના ખેડૂતોને થશે ફાયદો
આ યોજનાને કારણે ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ, ત્રિપુરા, મેઘાલય, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ખેડૂતોને મોટો ફાયદો થશે.
मंत्रिमंडल ने जूट वर्ष 2021-22 के लिए जूट पैकेजिंग सामग्री के लिए आरक्षण मानदंडों को मंज़ूरी दी
▶️100% खाद्यान्न और 20% चीनी, जूट की बोरियों में पैक की जाएगी
40 લાખ ખેડૂતોને થશે ફાયદો
શણ સેક્ટર હાલમાં 3.7 લાખ શ્રમિકો અને 40 લાખ ખેડૂતોને સીધી રોજગારી પૂરી પાડે છે. સરકાર દર વર્ષે 8,000 કરોડ રપિયાના જૂટના થેલાની ખરીદી કરે છે. જેપીએમ એક્ટ, 1987 શણના ખેડૂતો, કામદારો અને શણના માલના ઉત્પાદનમાં રોકાયેલા વ્યક્તિઓના હિતોનું રક્ષણ કરે છે.શણ ઉદ્યોગના કુલ ઉત્પાદનમાં શણ ની થેલીઓ 75% છે, જેમાંથી 90% ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ) અને સ્ટેટ પ્રોક્યોરમેન્ટ એજન્સીઓ (એસપીએ)ને સપ્લાય કરવામાં આવે છે અને બાકી ઉત્પાદન સીધું નિકાસ/વેચાણ થાય છે. શણની સેકિંગ બેગનું સરેરાશ ઉત્પાદન લગભગ 3મિલિયન ગાંસડી (9 લાખ મેટ્રિક ટન) છે અને સરકાર શણના ખેડૂતો, કામદારો અને શણ ઉદ્યોગમાં રોકાયેલા વ્યક્તિઓના હિતોનું રક્ષણ કરવા માટે શણની થેલીઓના ઉત્પાદનને સંપૂર્ણ પણે દૂર રાખવા માટે પ્રતિબદ્ધ છે. વર્તમાન દરખાસ્તમાં અનામતના નિયમો ભારતમાં કાચા શણ અને શણના પેકેજિંગ સામગ્રીના ઘરેલું ઉત્પાદનના હિતોનું રક્ષણ કરશે, જે ભારતને આત્મનિર્ભર ભારતની સાથે સુસંગત બનાવવા માટે આત્મનિર્ભર બનાવશે.