કેન્દ્ર સરકારે 'નેશનલ અપ્રેંટિસશિપ ટ્રેનિંગ સ્કીમ'ને આગળ વધુ 5 વર્ષ માટે વધારવાની જાહેરાત કરી છે. તેની જાણકારી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે એક ટ્વીટ દ્વારા આપી હતી. પીયુષ ગોયલે જણાવ્યું કે આ ટ્રેનિંગ સ્કીમની મદદથી 9 લાખ યુવાઓને શીખવા અને કમાણીની તક મળશે. સરકારની આ નવી સ્કીમ દ્વારા યુવાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે સાથે જ રોજગારી માટે સક્ષમ પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર અનુસાર, "નેશનલ અપ્રેંટિસશિપ ટ્રેનિંગ સ્કીમ" (NATS)ને આવનાર 5 વર્ષ માટે વધારવામાં આવી છે. તેના માટે સરકાર 3,054 કરોડ રૂપિયાની મદદ કરશે. એનટીએસ પ્રોગ્રામ હેઠળ 9 લાખ યુવાઓને ટ્રેનિંગ આપવામાં આવશે. સરકારે જણાવ્યું કે આ ટ્રેનિંગ પ્રોગ્રામના કારણે આવનાર 5 વર્ષમાં 7 લાખ યુવાઓને રોજગાર આપવામાં મદદ મળશે.
Skilling India!
Govt led by PM @NarendraModi ji approves continuation of National Apprenticeship Training Scheme for next 5 yrs. This will give:
🔸Nearly 9⃣ lakh youth chance to learn & earn📚💰
🔸Skill them for employment in emerging job markets👨🏽💼
કેટલું મળશે સ્ટાઈપેન્ડ?
NATS પ્રોગ્રામમાં જે યુવાઓને ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને 8,000-9,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં એન્જિનિયરિંગ, હ્યુમેનિટીઝ, સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારની આ યોજના અનુસાર અપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેનાર વિદ્યારેથીઓને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ડિવાઈસ મેન્યુફેક્ચરિંગ, ફાર્મા સેક્ટર અને ઓટોમોબાઈલ સેક્ટરમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
કેટલા રૂપિયાનો થશે ખર્ચ?
સરકારે આવનાર 5 વર્ષો માટે આ ટ્રેનિંગ પ્રોગ્રામ પર 3,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાને મંજૂરી આપી છે. આ રકમ પાછલા વર્ષોના ખર્ચ કરતા 4.5 ટકા વધારે છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં અપ્રેન્ટિસશિપ પર જોર આપવાની ભલામણ કરવામાં આવી છે. તેને જોતા એનએટીએસ પ્રોગ્રામ પર ખર્ચ થનાર રકમને વધારવામાં આવી છે.
આ ક્ષેત્રમાં યુવાઓને ટ્રેનિંગ આપીને રોજગાર લાયક બનાવવામાં આવી શકે છે. તેના માટે સરકાર અલગ અલગ વિષયો માટે વિદ્યાર્થીઓને અપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ આપવાની સુવિધા શરૂ કરશે. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં શામેલ કરવામાં આવશે. સ્કીમનો હેતું વિદ્યાર્થીઓની સ્કીલને વધારીને રોજગાર મેળવવા લાયક બનાવવાનો છે. આવનાર 5 વર્ષમાં તેનાથી 7 લાખ યુવાઓને રોજગાર આપવામાં આવશે.