કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 10 સરકારી બેન્કોનું મર્જર કરી ચાર 'મોટી બેન્ક' બનાવવાને મંજૂરી આપી દીધી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે આમ જાહેરાત કરી. તેઓએ કહ્યું કે મંત્રીમંડળે મર્જર પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને સરકાર આ બેન્કોના સતત સંપર્કમાં છે.
કેબિનેટની 10 સરકારી બેન્કોનું મર્જર કરી ચાર 'મોટી બેન્ક' બનાવવાને મંજૂરી
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આમ જાહેરાત કરી
નાણા મંત્રીએ કહ્યું, મંત્રીમંડળે મર્જર પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે
સીતારમણે કહ્યું કે બેન્કોના મર્જરની પ્રક્રિયા જારી છે અને તેનો નિર્ણય દરેક બેન્કના ડિરેક્ટર બોર્ડ પહેલા જ લઇ ચૂક્યું છે. નરેન્દ્ર મોદીની સરકારે ગત વર્ષે ઓગસ્ટમાં બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી.
બીજી સૌથી મોટી બેન્ક હશે PNB
યોજના મુજબ, યૂનાઇડેટ બેન્ક ઓફ ઇન્ડિયા (UBI) તથા ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC) નું પંજાબ નેશનલ બેન્ક (PNB) માં મર્જર થશે, જેનાથી આ બીજી સૌથી મોટી સરકારી બેન્ક બની જશે.
જ્યારે સિન્ડિકેટ બેન્કમાં કેનેરા બેન્ક, અલાહાબાદ બેન્ક તથા ઇન્ડિયન બેન્કનો મર્જર કરવામાં આવશે. આ પ્રકારે આંધ્રા બેન્ક તથા કોર્પોરેશન બેન્કનું યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (UBI)માં મર્જર કરવામાં આવશે.
આ બેન્કમાં થશે મર્જર
આ બેન્કનું મર્જર કરાશે
પંજાબ નેશનલ બેન્ક
ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા
કેનેરા બેન્ક
સિન્ડિકેટ બેન્ક
યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયા
આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક
ઇન્ડિયન બેન્ક
અલાહાબાદ બેન્ક
આ બેન્કોનું મર્જર :
પંજાબ નેશનલ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા ( બીજી સૌથી મોટી બેન્ક, 17.95 લાખ કરોડ રૂપિયાનો કારોબાર)
કેનેરા બેન્ક અને સિન્ડિકેટ બેન્ક ( ચોથી સૌથી મોટી બેન્ક, 15.20 લાખ કરોડ રૂપિયાનો કારોબાર)
યૂનિયન બેન્ક, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક (પાંચમી સૌથી મોટી બેન્ક, 14.6 લાખ કરોડ રૂપિયાનો કારોબાર)
ઇન્ડિયન બેન્ક, અલાહાબાદ બેન્ક ( સાતમી સૌથી મોટી બેન્ક, 8.08 લાખ કરોડ રૂપિયાનો કારોબાર)
મર્જર સમસ્યાઓનું સમાધાન નહીં
બેન્ક યૂનિયનોનું માનવું છે કે બેન્કિંગ સેક્ટર્સની સમસ્યાઓનું સમાધાન બેન્કોના મર્જરથી નહીં થાય અને તેઓએ સરકારના આ પગલાનો વિરોધ કર્યો છે.