સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળે અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 25000 કરોડ રૂપિયાનું વૈકલ્પિક રોકાણ ફન્ડ (AIF) બનાવવાની મંજુરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ આ જાણકારી આપી.
સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો
સરકારે અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 25000 કરોડ રૂપિયાના ફન્ડને મંજુરી આપી
નાણામંત્રીએ કહ્યું, આ ફન્ડ દ્વારા અપૂર્ણ પ્રોજેક્સને મદદ કરાશે
નાણા મંત્રીએ પત્રકારોને કહ્યું કે, આ 25,000 કરોડ રૂપિયાના ફન્ડ માટે સરકાર, ભારતીય સ્ટેટ બેન્ક અને એલઆઇસી ધન ઉપલબ્ધ કરાવશે. તેમા સરકારની તરફથી 10 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ ઉપબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે મંગળવારે જ નાણામંત્રીએ કહ્યું હતું કે હવે આર્થિક સુધારાઓના પગલા ઝડપથી લેવામાં આવશે.
સીતારમણે કહ્યું કે આ ફન્ડથી 4.58 લાખ ઘરોની 1600 હાઉસિંગ પરિયોજનાઓને ફાયદો પહોંચશે. નાણા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ 25000 કરોડ રૂપિયાના ફન્ડથી અટકેલી યોજનાઓ માટે ચરણબદ્ધ રીતે ધન ઉપલબ્ધ કરાવાશે. ચરણ પૂર્ણ થયા બાદ રાશિ જાહેર કરવામાં આવશે. તેમાં સરકારનું યોગદાન 10 હજાર કરોડનું હશે.
નાણામંત્રીએ કહ્યું છે કે સરકાર એક સ્પેશિયલ ફન્ડ બનાવશે, જેમા સરકારનું યોગદાન 10 હજાર કરોડ હશે. તેમા અન્ય ઘણી સંસ્થાઓ સામેલ થશે અને સૌ મિલાવીને 25,000 કરોડનું ફન્ડ તૈયાર થશે. તેમા એસબીઆઇ અને એલઆઇસી શરૂઆતમાં સામેલ થશે. આગળ વધુ સંસ્થાન તેની સાથે જોડાશે અને બાદમાં ફન્ડની રાશિ વધારવામાં આવી શકે છે.
NPA પ્રોજેક્ટને પણ લાભ
નાણામંત્રીએ કહ્યું, આ ફન્ડ દ્વારા એક એકાઉન્ટમાં પૈસા નાંખી અપૂર્ણ પ્રોજેક્સને લાભ પહોંચાડવામાં આવશે. એમણે કહ્યું કે શરુઆતમાં આ એકાઉન્ટ એસબીઆઇની પાસે રહેશે. નિર્મલા સીતારમણે કહ્યું કે, રેરામાં જે પણ ઇનકમ્પ્લીટ પ્રોજેક્ટ છે તેમને એક પ્રોફેશનલ એપ્રોચ હેઠળ હેઠળ સહયોગ આપવામાં આવશે. તેમને અંતિમ સ્ટેજ સુધી મદદ કરવામાં આવશે. માની લો કે, જો 30 ટકા કામ અધુરુ છે તો જ્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય, તેમને મદદ કરવામાં આવશે. તેથી હોમ બાયરને જલ્દી જ મકાન હેન્ડ ઓવર કરાશે. જો આ એનપીએ પણ હશે તોપણ તેમની મદદ કરવામાં આવશે.
સાથે જ નાણામંત્રીએ કહ્યું કે એનસીએલટી હેઠળ આવનારા પ્રોજેક્ટ પણ તેનો ફાયદો ઉઠાવી શકશે. એમણે કહ્યું કે જો કંપની લિક્વિડેશનની તરફ જાય છે તો તેને એનો ફાયદો નહીં મળી શકે.
નાણામંત્રીએ કહ્યું, અમે પહેલા કહ્યું હતું કે ઘર ખરીદવા ઇચ્છુક લોકો માટે એલાન કરાશે. ઘણા હોમ બાયર્સે અમારો એપ્રોચ કર્યો અને તેમણે કહ્યું કે એડવાન્સ આપ્યા બાદ પણ ફ્લેટ નથી મળી રહ્યા. મંત્રાલયના આંકડાઓ મુજબ, 1600થી વધારે હાઉસિંગ પ્રોજેક્ટ્સ રોકાયેલા છે. અને 4.58 હાઉસિંગ યૂનિટ પર કામ રોકાયેલું છે. એમણે કહ્યું કે ગત બે મહીનામાં પ્રભાવિત લોકો અને બેન્કોની સાથે ઘણી બેઠકો કરી. એક બેઠકમાં તો રિઝર્વ બેન્કના ગવર્નર પણ હાજર હતા.