કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયાને કેબિનેટ નિર્ણયો અંગે જાણકારી આપી. તેઓેએ જણાવ્યુ કે, NPR અપડેટ કરવા માટે કેબિનેટને મંજૂરી આપી દેવાઇ છે. સાથે જ તેઓએ જણાવ્યું કે ભારતમાં બ્રિટિશ જમાનાથી દેશની જનગણતરી થાય છે.
આઝાદી બાદ અત્યાર સુધીમાં 7 વાર જનગણતરી થઇ ચૂકી છે. હવે આઠમી વાર થશે. આવતા વર્ષે એટલે કે 2020ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધી આ કામ ચાલશે. લાખો લોકોને તેમા સામેલ કરવામાં આવશે.
નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસી (NRC) પર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર ( NPR) ને મંજૂરી આપી દીધી છે. તેના પર લગભગ 8500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
Union Minister Prakash Javadekar: Cabinet has approved the conducting of census of India 2021 and updating of National Population Register. It is self declaration, no document, bio-metric etc required for it pic.twitter.com/jkCbM89BhH
એનપીઆર NRCથી અલગ છે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હેઠળ 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે-ઘરે જઇને જનગણતરી તૈયારી કરાઇ રહી છે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ અને કેરળ સરકારે એનપીઆર (NPR) નો પણ વિરોધ કર્યો છે.
એનપીઆરનું આખુ નામ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર છે. દેશના સામાન્ય રહેવાસીઓની વ્યાપક ઓળખનો ડેટાબેઝ બનાવવો તેનું મુખ્ય લક્ષ્ય છે.
શું છે NPR?
રાષ્ટ્રિય જનસંખ્યા રજિસ્ટર (NPR)ની મદદથી સરકાર દેશના દરેક નાગરિકની જાણકારી રાખી શકે છે.
આ માટે દરેક ભારતીય નાગરિકનો બાયોમેટ્રિક રેકોર્ડ લેવાસે અને તેની વંશાવલિ પણ જાણવામાં આવશે.
જો વ્યક્તિ 6 મહિના કે તેનાથી વધારે સમયથી આ વિસ્તારમાં રહે છે તો તેણે NPRમાં નામ નોંધાવવાનું રહેશે.
NPRને સરકાર રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર, જિલ્લા, ઉપ જિલ્લા અને સ્થાનીય સ્તરે તૈયાર કરી રહી છે.
NPR ત્રણ ભાગમાં તૈયાર થશે. પહેલું 1 એપ્રિલ 2020થી લઈને 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે થશે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને આંકડા મેળવશે.
અન્ય ભાગમાં 9 ફેબ્રુઆરી 2021થી 28 ફેબ્રુઆરી 2021 સુધી રહેશે. આ પછી ત્રીજો ભાગ શરૂ થશે. જેમાં મેળવવામાં આવેલા આંકડામાં સંશોધન કરવામાં આવશે.
શા માટે જરૂરી છે NPR?
NPRનો હેતુ દેશના દરેક રહેવાસીની ઓળખ માટે એક મોટો આંકડો તૈયાર કરવાનો છે. તેમાં દરેક રહેવાસીની જનસંખ્યા જાણકારીની સાથે તેમનું બાયોમેટ્રિક પણ નોંધવાનું રહેશે.