પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મફત અનાજની યોજના વધુ 3 મહિના એટલે કે ડિસેમ્બર 2022 સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
80 કરોડ ગરીબોને મળતું રહેશે મફત અનાજ
કેન્દ્ર સરકારે મફત અનાજની યોજના વધુ 3 મહિના લંબાવી
ડિસેમ્બર 2022 સુધી ચાલતી રહેશે યોજના
સરકાર પર પડશે 44,700 કરોડનો બોજો
ગરીબોનું પેટ ભરતી મોટી યોજનાને વધુ 3 મહિના લંબાવાઈ છે. મોદી કેબિનેટ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 3 મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાની મુદત 30 સપ્ટેમ્બરે પુરી થતી હતી પરંતુ તેના બે દિવસ પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેને વધુ 3 મહિના લંબાવી દીધી છે. વધુ 3 મહિના યોજના લંબાવવાને કારણે સરકારી તિજોરી પર 44,700 કરોડનો બોજો પડશે.
Delhi | The central cabinet has decided to extend PMGKAY (free ration) scheme for the next 3 months: Union minister Anurag Thakur pic.twitter.com/4ha7bdvQDx
80 કરોડ ગરીબોને મળતું રહેશે મફત અનાજ
કેન્દ્રીય કેબિનેટ દ્વારા મફત અનાજ યોજનાને વધુ 3 મહિના લંબાવવામાં આવતા 80 કરોડ ગરીબોને ડિસેમ્બર 2022 સુધી મફત અનાજ મળતું રહેશે.
માર્ચમાં આ યોજના 6 મહિના માટે લંબાવાઈ હતી
કેન્દ્ર સરકારે માર્ચ 2022માં આ યોજનાને 6 મહિના માટે લંબાવી હતી જેની મુદત 30 સપ્ટેમ્બરે પૂરી થતી હતી પરંતુ હવે તેને લંબાવીને ડિસેમ્બર 2022 સુધી કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે અનાજના સ્ટોકની કોઇ કમી નથી. 1 ઓગસ્ટ સુધીમાં, સરકાર પાસે સેન્ટ્રલ પૂલમાં 28 મિલિયન ટન ચોખા અને 26.7 મિલિયન ટન ઘઉં હતા.
Free ration to 80 crore for three more months till December 2022 to cost Rs 44,700 crore: I&B Minister
કોરોના મહામારીમાં શરુ કરવામાં આવી હતી મફત અનાજની યોજના
કોરોના મહામારીમાં શરૂ થયેલી આ યોજના હેઠળ ગરીબોને અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજનાને ચલાવવા માટે સરકારને દર વર્ષે 18 અબજ ડોલર ખર્ચવા પડે છે. મફત અનાજ યોજના હેઠળ 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે. આ પહેલા ખાદ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો હતો, જેમાં આ યોજનાને 3 મહિના સુધી વધારવાની વાત કહેવામાં આવી હતી.