લોકસભામાં ભારે અવરોધો બાદ મંગળવારે CAB એટલે કે નાગરિકતા સુધારણા બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે રાજ્યસભામાં તેની ચર્ચા ચાલી રહી છે. તો અહીં એ જાણવું જરૂરી છે કે રાજ્યસભામાં બિલ પસાર થયા પછી તે કાયદાનું સ્વરૂપ કેવી રીતે લે છે.
એક બિલ સંપૂર્ણ પ્રક્રિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તે પછી બંને સભાઓમાં પસાર થાય છે અને ત્યાર બાદ નવા કાયદાનું સ્વરૂપ લે છે. પરંતુ, એક સવાલ એ પણ છે કે, શું એ શક્ય છે કે લોકસભા અને રાજ્યસભામાં ખરડો પસાર થવા છતાં તે કાયદાનું સ્વરૂપ ન લે? ભારતના ઇતિહાસમાં એક બિલ સાથે આવું થઇ ચૂક્યું છે.
બિલ શું હોય છે?
નવા કાયદાના નિર્માણ માટે અથવા કોઈ જુના કાયદામાં ફેરબદલ કરવા માટે સૌથી પહેલા ખરડો પસાર કરવામાં આવે છે. પહેલા ચરણમાં નવા કાયદાનો મુખ્ય પ્રસ્તાવ, સૂચનો અથવા જુના કાયદાની ફેરબદલીનો મુખ્ય પ્રસ્તાવ, સૂચનોની ચર્ચા કરવામાં આવે છે. ત્યાર બાદ આ ખરડાની લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થાય છે. આ ચર્ચા પછી ખરડો સ્ટેડિંગ કમિટી પાસે જાય છે. તેના છેલ્લા ચરણમાં તેને રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ ઈચ્છે તો પોતાનો વિટો પાવર વાપરીને કાયદો અટકાવી શકે છે.
ચર્ચા કર્યા બાદ થાય છે વોટિંગ
બિલ પર ચર્ચા કર્યા પછી, તેના પરના પ્રશ્નો અને સુધારા પર મત લેવામાં આવે છે. ત્યારબાદ ફરીથી બિલ પર ચર્ચા શરૂ થાય છે. મતદાન થયા પછી બિલ તે ગૃહમાં પસાર થયા પછી સત્તાવાર ગેઝેટ તરીકે પ્રકાશિત થાય છે. તે ફક્ત સ્પીકરની પરવાનગીથી જ પ્રકાશિત કરી શકાય છે. ચર્ચા કર્યા પછી, બિલમાં સુધારાના સૂચનોનો સમાવેશ કરવામાં આવે છે, ત્યારબાદ બિલ સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવે છે.
સંચાલક અધિકારી તેની તાપસ કરીને તે મુદ્દે રિપોર્ટ બનાવે છે. સ્ટેન્ડિંગ કમિટી વિશેષજ્ઞોના મત લઇને ખરડામાં સુધારા સૂચવી શકે છે. આ જ પ્રક્રિયા રાજ્યસભામાં થાય છે.
રાષ્ટ્રપતિની મહોર જરૂરી
રાજ્યસભામાં બિલ પસાર થયા પછી રાષ્ટ્રપતિની મહોર લેવી જરૂરી છે. આ પછી જ, એક બિલ એટલે કે ખરડો કાયદાનું સ્વરૂપ લે છે. તે બંને ગૃહોની સંયુક્ત બેઠક પછી જ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિની મહોર પછી જ આ ખરડો કાયદાનું સ્વરૂપ લે છે, તે પછી તે આખા દેશમાં લાગુ પડે છે.
આ રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર નહોતા કર્યા
1984માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી. આ સમયે રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહ હતા જેઓ ઇન્દિરા ગાંધીથી ખૂબ નારાજ હતા. જયારે ઇન્દિરાના સુરક્ષા જવાનોએ જ તેમની હત્યા કરી દીધી ત્યારે રાષ્ટ્રપતિ જૈલ સિંહ ઓમાનના પ્રવાસે હતા અને ઇન્દિરાના રાજનૈતિક વારસ રાજીવ ગાંધી પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા. રાજીવ ગાંધી આ બનાવ બનતા તાત્કાલિક પાછા ફર્યા અને રાષ્ટ્રપતિની રાહ જોયા વિના ઉપરાષ્ટ્રપતિ વડે જ તેમણે વડાપ્રધાન પદના શપથ લઇ લીધા.
આ પગલાથી રાજીવ ગાંધી અને રાષ્ટ્રપતિ જૈલ સિંહ વચ્ચેના ગજગ્રાહમાં વધારો થયો. જૈલ સિંહે બંધારણીય વ્યવસ્થાના આધારે રાજીવ ગાંધી સરકારનું પોસ્ટલ અમેન્ડમેન્ટ બિલ પોતાના વિટો પાવર વાપરીને અટકાવી દીધું. રાષ્ટ્રપતિની સહીના અભાવે રાજીવ ગાંધી સરકાર આ બિલ પાસ કરવામાં નિષ્ફળ ગઈ.