ગત ડિસેમ્બર મહીનામાં સંશોધિત નાગરિકતા કાયદો (CAA) ની વિરુદ્ધ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં હિંસા ભડકી હતી. આ હિંસામાં 20થી વધારે લોકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલામાં ઉત્તર પ્રદેશની યોગી સરકારથી જવાબ માંગ્યો છે.
ડિસેમ્બરમાં CAAની વિરુદ્ધ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં હિંસા ભડકી હતી
ઉત્તર પ્રદેશની હિંસામાં 20થી વધારે લોકો માર્યા ગયા હતા
પોલીસની કાર્યવાહીની વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટમાં 7 અરજીઓ દાખલ થઇ હતી
ઉત્તર પ્રદેશની પોલીસની કાર્યવાહીની વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટમાં 7 અરજીઓ દાખલ થઇ હતી. આ અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારથી જવાબ માંગ્યો છે.
જુમ્માની નમાજ બાદ ભડકેલી હિંસાએ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોને પોતાની ઝપેટમાં લઇ લીધા હતા. ઉત્તર પ્રદેશના સંભલ, રામપુર, ગોરખપુર, બિજનોર, મેરઠ, લખનઉ, મઉ સહિત ઘણી જગ્યાઓ પર લોકોની ભીડ રસ્તાઓ પર ઉતરી આવી હતી. જ્યારે પોલીસ કર્મીઓએ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો તો ભીડે પથ્થરમારો અને આગજંપી કરી હતી.
હિંસક ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે વોટર કેનન અને આંસૂ ગેસના શેલ છોડ્યા અને ઘણી જગ્યાઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ હિંસા દરમિયાન 20થી વધારે લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થઇ ગયા હતા.
હિંસા દરમિયાન સાર્વજનિક સંપત્તિને ભારે નુકશાન પહોંચ્યું હતું. જે બાદ યોગી સરકારે હિંસા કરનાર ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કતા તેમને નુકશાનની ભરપાઇ કરવા કહ્યું હતું.