નાગરિકતા સંશોધન કાયદા(CAA)ના સમર્થનમાં 10 જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભામાં એક દિવસનું વિશેષ સત્ર બોલાવાયું હતું. આ સત્રમાં CAAને સમર્થન આપનાર પ્રસ્તાવ બહુમતીથી પાસ થયો છે.
ગુજરાત વિધાનસભામાં CAAને સમર્થન કરતો પ્રસ્તાવ પાસઃ વાઘાણી
કોંગ્રેસ CAA બાબતે યોગ્ય ચર્ચા ના કરી શક્યુંઃ વાઘાણી
CAAનો પ્રસ્તાવ બહુમતીથી પસાર કરાયોઃ પ્રદીપસિંહ
શુક્રવારે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં CAAને સમર્થન કરતા પ્રસ્તાવને પાસ કરાયો છે ત્યારે SC/ST પ્રસ્તાવને પણ વિધાનસભામાં મંજૂર કરાયો છે. મહત્વનું છે કે, વિધાનસભા અધ્યક્ષ દ્વારા શિયાળુ સત્રની જાહેરાત કરી છે. 24 ફેબ્રુઆરીએ શિયાળુ સત્ર મળશે.
જીતુ વાઘાણીએ કહ્યું- CAA સમર્થન પ્રસ્તાવ બહુમતીથી પાસ થયો
CAA પર સરકારે પ્રતિક્રિયા આપી છે. CAAનો પ્રસ્તાવ ભાજપના સભ્યોની બહુમતીથી પાસ થયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં CAAને સમર્થન આપનાર પ્રસ્તાવ બહુમતીથી પાસ થયો છે. CAA પ્રસ્તાવને કેન્દ્ર સરકાર સમક્ષ મોકલાશે. SC/ST બેઠકોની અનામતમાં 10 વર્ષનો વધારો કરતા બીલનું ગુજરાત વિધાનસભામાં સમર્થન થયું છે. સમાજને સાથે રાખીને અનામત આપવાનું નરેન્દ્ર મોદી સરકારે નક્કી કર્યું.
જીતુ વાઘણીએ જૂની અને નવી કોંગ્રેસના ભેદનો કટાક્ષ કર્યો
વાઘાણીએ કહ્યું કે આજની બેઠકમાં કોંગ્રેસ CAA બાબતે યોગ્ય ચર્ચા ના કરી શક્યું. કોંગ્રેસના ધારાસભ્યોએ જ કોંગ્રેસને ખુલ્લી પાડી. કોંગ્રેસ બેવડી નીતિ અપનાવી લોકોને ગેરમાર્ગે દોરે છે અને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. કોંગ્રેસના કારણે દેશના ભાગલા પડ્યા છે. ભાગલા પાડવામાં નહેરૂની નીતિઓ જવાબદાર છે. ઇતિહાસ કોંગ્રેસને માફ નહીં કરે.
વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ બહાર અને ગૃહમાં અલગ ભાષા બોલે છે. આઝાદી પહેલાની કોંગ્રેસ રાષ્ટ્રીય હતી. અત્યારની કોંગ્રેસ ઇટાલિયન કોંગ્રેસ છે. નહેરૂએ પણ શરણાર્થીઓને નાગરિકતા આપી હતી. ઇટાલિયન ચશ્મા પહેરીને કોંગ્રેસ દેશને ભ્રમિત કરે છે.
આ મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, SC/STને મળવા પાત્ર અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો છે. 10 વર્ષ માટેનો પ્રસ્તાવ પસાર કરાયો છે. CAAના સમર્થન પ્રસ્તાવને પણ મંજૂર કરાયો છે.
પ્રદીપસિંહે કહ્યું કે CAAનો પ્રસ્તાવ બહુમતીથી પસાર કરાયો છે. શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળશે. ગુજરાતમાં 10 હજારથી વધુ શરણાર્થીઓને નાગરિક્તા મળશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં લઘુમતીઓને પ્રતાડિત કરાતા હતા.