નાગરિકતા કાયદાને લઇને યૂપીમાં તણાવની સ્થિતિ યથાવત છે. કોઇપણ પ્રકારની આશંકાને જોતા પોલીસ અલર્ટ મોડ પર છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓના લખનઉ આવવા પર રોક લગાવી દેવાઇ છે. ડીજીપીએ કહ્યું કે, લખનઉમાં કલમ 144 લાગૂ છે. એવામાં ટીએમસી નેતાઓને અમે અહીં આવવાની મંજૂરી નહીં આપીએ.
નાગરિકતા કાયદાને લઇને યૂપીમાં તણાવની સ્થિતિ યથાવત
ઉત્તર પ્રદેશમાં પોલીસ અલર્ટ મોડ પર છે
ડીજીપીએ કહ્યું કે, લખનઉમાં કલમ 144 લાગૂ છે
ડીજીપીએ કહ્યું કે, તેમના અહીં આવવાથી તણાવ વધી શકે છે. યૂપી ડીજીપી ઓપી સિંહે પહેલા પણ દાવો કર્યો હતો કે, લખનઉ હિંસામાં બહારના લોકોનો હાથ રહ્યો છે. આ દરમિયાન લખનઉમાં 24 ડિસેમ્બર સુધી સ્કૂલ અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે.
ડીજીપી ઓપી સિંહે કહ્યું, અમને જાણકારી મળી છે કે ટીએમસીના કેટલાક નેતાઓ લખનઉ આવશે, પરંતુ અમે તેમને મંજૂરી નહીં આપીએ. અહીં કલમ 144 લાગૂ છે અને તેમના આવવાથી વિસ્તારમાં તણાવ વધી શકે છે.
879 હિંસક દેખાવકારો, 282 પોલીસ કર્મીઓ ઘાયલ
રાજ્યમાં શનિવારે પણ ઘણી જગ્યાઓ પર હિંસક વિરોધ-પ્રદર્શન થયા. કાનપુર અને રામપુરમાં ટોળાએ આગ લગાવી અને પોલીસ સાથે ઘર્ષણમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું. પ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં ગુરુવારથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. યૂપીના ડીજીપીએ કહ્યું, હિંસાની ઘટનાઓમાં સામેલ 879 શંકાસ્પદ હિંસક દેખાવકારોની ધરપકડ કરી છે. હિંસક પ્રદર્શન દરમિયાન 282 પોલીસ કર્મી ઘાયલ છે. 135 અસામાજિક તત્વો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.