નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. વિવાદિત નિવેદનો માટે જાણિતા બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ ગુરુવારે કહ્યું કે, શાહીન બાગના માધ્યમથી જે અરાજકતા ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેની પાછળ બે જુડવા ભાઇ છે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી.
બીજેપીનો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર એક સાથે હુમલો
સંબિત પાત્રાએ કહ્યું, કોંગ્રેસ વોટબેન્કની રાજનીતિ કરી રહી છે
બીજેપીએ કહ્યું, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ બે જુડવા ભાઇ છે
બીજેપીએ કહ્યું કે, આ બંને જુડવા ભાઇઓએ એકબીજાનો હાથ પકડીને સરકાર બનાવી હતી. આ કુંભના મેળામાં અલગ થયેલા બે જુડવા ભાઇ છે. સંબિત પાત્રાએ બુધવારે પણ કોંગ્રેસ પર હુમલો બોલ્યો હતો. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ વોટબેન્કની રાજનીતિ કરી રહી છે અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને લઇને ભ્રમ ફેલાવી રહી છે. સંબિત પાત્રાએ કહ્યું કે, અમે કોંગ્રેસને પૂછવા માંગીએ છીએ કે સીએએ (CAA) ની આડમાં હિન્દુઓને ગાળ કેમ આપવામાં આવી રહી છે.
સીએએ (CAA) ના વિરોધમાં શાહીન બાગ (ShaheenBagh)માં નાના બાળકોના મનમાં ઝેર ભરવાનો આરોપ લગાવતા સંબિત પાત્રાએ કહ્યું કે, નાના-નાના બાળકોના મનમાં કટ્ટરતાના પાઠ ભણાવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, શાહીન બાગમાં ઘણા દિવસોથી સીએએ (CAA) ની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ આ કાયદો પાછો લેવાની માંગ કરી રહ્યા છે. જોકે, શાહીન બાગની હજુ સુધી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મુલાકાત લીધી નથી.
બીજેપીને માનહાનિની નોટિસ ફટકારી
આ પહેલા બીજેપીએ પ્રદર્શનકારી મહિલાઓ પર પૈસા લઇને પ્રદર્શન કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાને માનહાનિની નોટિસ મોકલી હતી. મહિલાઓએ અમિત માલવિયાને 1 કરોડ રૂપિયા માનહાનિ નોટિસ મોકલી હતી. તથા માફી માંગવા પણ કહ્યું હતું.